આપણાં ઘરેલૂ નુસખાઓ અને ઉપાયોમાં એવા ફાયદાઓ છુપાયેલા છે જેને અપનાવી લેવાથી અનેક ફાયદા મળી શકે છે. એવો જ એક ઉપાય છે પાણીમાં સિંધાલૂણ મીઠું નાખીને પગ તેમાં ડુબાડી રાખવા. આ એક ખૂબ જ જોરદાર ઉપાય છે, જેનાથી ઘણાં પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. જેમાં દર્દથી લઈને તણાવ જેવી તકલીફોમાં રાહત મેળવી શકાય છે.
સપ્તાહમાં 2-3વાર કરી લો આ કામ
દર્દથી લઈને તણાવ જેવી તકલીફોમાં રાહત મળશે
માત્ર અડધો કલાકનો આપવો પડશે સમય
સિંધાલૂણ મીઠામાં નેચરલ પેઈન કિલરના ગુણ રહેલાં છે. જેથી ઘણાં લોકો પાણીમાં મીઠું મિક્સ કરીને સ્નાન પણ કરતાં હોય છે. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. તમે સપ્તાહમાં 2-3વાર આ ઉપાય કરી શકો છો. તેના માટે તમારે પાણીમાં થોડો સિંધાલૂણ મિક્સ કરીને અડધો કલાક પગ એ પાણીમાં ડુબાડીને રાખવા. આનાથી થાક, તણાવ અને દુખાવામાં તરત રાહત મળે છે.
બીપીને નિયંત્રિત કરે છે
આ ઉપાય કરવાથી સોલ્ટમાં રહેલાં મિનરલ્સ માંસપેશીઓના દુખાવાને દૂર કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. જો તમે ભોજનમાં સિંધાલૂણનો ઉપયોગ કરશો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટના રોગો થતાં નથી.
તણાવથી મુક્તિ
આ ઉપાય કરવાથી બોડીમાં મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે અને મગજમાં થતી હેરાનગતિ દૂર થાય છે જેથી તણાવથી છૂટકારો મળે છે.
સ્કિન માટે લાભકારી
જો તમે તમારી સ્કિનને સારી કરવા માંગો છો તો મીઠાવાળા પાણીમાં તમારા પગ ડુબાડીને રાખો. આનાથી પગની ડેડ સ્કિન દૂર થશે અને ફાટેલીં અને ડ્રાય ક્રેક હીલની પ્રોબ્લેમ પણ દૂર થશે અને સ્કિનનું મોઈશ્ચર પણ જળવાશે.
હાડકાં મજબૂત થશે
જો તમને શરીર અને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. સપ્તાબમાં 2-3વાર આ ઉપાય નિયમિત કરી લેવાથી તમને જાતે જ ફરક દેખાશે. તેનાથી દુખાવામાં રાહત મળશે. સાથે જ સિંધાલૂણમાં રહેલું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તમારા હાડકાંની નબળાઈને દૂર કરે છે અને પગમાં આવતા સોજામાં પણ લાભકારી છે.
અનિદ્રામાં બેસ્ટ
જો તમને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. તમે રાતે સૂતા પહેલાં પણ આ ઉપાય કરી શકો છો. આનાથી તમારું માઈન્ડ રિલેક્સ થશે અને તમમમને રાતે સારી ઉંઘ આવશે.