ડ્રાય ફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને કિસમિસનો સમાવેશ થાય છે. સૂકા મેવામાં અંજીરને સૌથી બેસ્ટ ડ્રાય ફ્રૂટ માનવામાં આવે છે. અરેબિયન દેશોમાં અંજીરને જન્નતનું ફળ કહેવામાં આવે છે.
લોહી માટે ફાયદાકારક અંજીર
શ્વાસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક
વધારાની ચરબી ધીમે ધીમે દૂર કરે
લોહી શુદ્ધ કરવા માટે
અંજીરના સેવનથી લોહી શુદ્ધ થાય છે. લોહીના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ સૂતાં પહેલાં ત્રણ અંજીર અને ૧પ કાળી સૂકી દ્રાક્ષ લઈ એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળવું ત્યારબાદ થોડી વાર પછી થોડું ઠંડું થાય ત્યારે એ દૂધ પી જવાથી લોહી શુદ્ધ થાય છે.
કબિજયાતમાં રાહત
ઘણા લોકોને કબિજયાતનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. આ માટે સવારે ઊઠીને ખાલી પેટે અંજીર ખાવાથી અથવા રાતે એક ગ્લાસ જેટલા દૂધમાં એકાદ અંજીર બોળી રાખી સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સાથે ખાઇ જવાથી જૂનામાં જૂની કબજિયાતની બીમારીમાં રાહત મળે છે.
મહિલાઓ માટે લાભકારી
મહિલાઓને માસિકનો પ્રોબ્લેમ હોય કે જેમાં માસિક અનિયમિત આવતું હોય તેમના માટે અંજીર લાભદાયી પુરવાર થાય છે. બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે.
હાડકાંના સારા વિકાસ માટે
અંજીરમાં રહેલું કેલ્શિયમ માણસનાં હાડકાંને મજબૂત કરે છે. બે અંજીરને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે તેનું પાણી પીવાથી આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.
શ્વાસની સમસ્યામાં ફાયદાકારક
મોટી ઉંમર થયા પછી ઘણા લોકોને શ્વાસ તેમજ દમની સમસ્યા થતી હોય છે. અંજીર શરીરમાં રહેલા વાયુનો નાશ કરનાર હોવાથી દમ તેમજ શ્વાસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
બીપીના દર્દી માટે
જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે પણ અંજીર ખૂબ લાભદાયી છે. શરીરની વધારાની ચરબી ધીમે ધીમે દૂર કરી શરીરની મેદસ્વિતા ઘટાડે છે. લોહીની ઊણપના લીધે જેમના હાથ-પગ સૂન થઇ જતા હોય તેમને પણ અંજીર ખાવાથી ઘણો ફાયદો થાય છે.