શિયાળામાં થતા સાંધા અને કમરના દુખાવા માટે સૂકી મેથીના ચપટી દાણા ચમત્કારિક અસર કરી શકે છે. આ જ િસઝનમાં મેથીના લાડવા પણ સારી એવી માત્રામાં ખવાય છે. મેથીનો સમજી- વિચારીને ઉપયોગ કરો તો ઠંડીની િસઝનમાં વકરતા વાયુના કારણે થતી અનેક સમસ્યાઓનો હલ થઇ શકે છે. શિયાળામાં જેના સેવનની બોલબોલા છે એવા મેથીના દાણા દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે. આવો જાણીએ મેથીમાં રહેલા ગુણો વિશે.
મેથીના દાણાના ફાયદા
મેથી ખાવાથી થશે ફાયદા
શરીરને મળશે લાભ
મેથીનું વધારે સેવન શિયાળામાં થાય છે પણ આખા વર્ષ દરમિયાન મસાલામાં વપરાતા મેથીના અમુક દાણા પણ આપણા શરીરને જરૂરી વિટામિન અને મિનરલ આપે છે.
મેથીના દાણામાં કોડિલવર ઓઇલ જેટલા ગુણો છે. મેથી પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે, તેમાં વિટામિન B1, B2, B3, B6, B9 આમ, વિટામિન બીની આખી શૃંખલા જ રહેલી છે એમ પણ કહી શકાય. આ સિવાય વિટામિન સી ઉપરાંત આયર્ન, પોટૅશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે.
મેથી કોલેસ્ટ્રોલ અને ચરબી ઓછી કરવા માટે પણ ઉત્તમ છે. મેથીના દાણામાં થોડા પ્રમાણમાં તેલ રહેલું છે અને આયુર્વેદ મુજબ જે પદાર્થમાં તેલ હોય એ વાયુનું શમન કરે છે. મેથીમાં રહેલી સ્નિગ્ધતાના કારણે એ પેટમાં શુષ્કતા નિર્માણ નથી કરતી.
મેથી શરીરમાં પચ્યા પછી વાયુ શમન કરે છે, કફ પણ ઓછો કરે છે પણ સાથે જ એક વાતનું ધ્યાન રહે કે મેથી ઉષ્ણ છે. તેથી પિત્તને વધારે છે. અલબત્ત, પિત્ત એટલું પણ નથી વધતું કે એની આડઅસર થાય, છતાંય પિત્ત પ્રકૃતિ ધરાવનારે મેથીનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું.
મેથીના સેવનથી વાયુનો નાશ થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. શિયાળામાં મેથીનું ચૂર્ણ લઈ શકાય છે અથવા મેથી અને ગુંદરના લાડવાનું સેવન કરી શકાય છે. મેથીનું શાક પણ ખાઈ શકાય છે.
મેથીપાક અને મેથીના લાડવાનું સેવન શિયાળાની ઋતુ સિવાય અન્ય ઋતુમાં કરવું હિતાવહ નથી. મેથીનું વધારે સેવન ગરમીમાં વધુ ઉષ્ણતા નિર્માણ કરી શકે છે અને આના કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે.
વાળ ખરતા હોય અથવા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોવાથી વાળ નરમ પડી ગયા હોય, વાળમાં સ્પ્લિટ એન્ડ્સ હોય તેમણે ૨૫ ગ્રામ મેથી દાણાનો પાઉડર ૧૦૦ ગ્રામ નારિયેળના તેલમાં પલાળી રાખવો. ત્રણ રાત પછી તેલ ઉકાળી લેવું. ઠંડું થાય પછી બોટલમાં ભરી આ તેલ લગાડવાથી વાળ મજબૂત થશે.