જો તમે વધતી ઉંમર સંબંધિત બિમારીઓથી બચવા ઇચ્છતા હો અને વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ રહેવા ઇચ્છતા હો તો ઉપવાસ કરવો તમારા માટે ફાયદાકારક છે એક અભ્યાસ સામે આવ્યું છે કે ઉપવાસ રાખવાથી શરીરની પાચન ક્રિયા પર સકારાત્મક પ્રભાવ પડે છે અને આયુ સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે.
ઉપવાસ એટલે કે પેટ ખાલી રાખવાની પ્રથા છે. દરેક બીમારીનો ઇલાજ ઉપવાસ નથી પરંતુ તે મોટાભાગની સમસ્યાઓમા કારગર રહે છે. ઉપવાસનું ધાર્મિક નહીં મેડિકલ મહત્વ સમજવું જોઇએ. ઉપવાસ કરવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળે છે.
ઉપવાસને સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે. ઉપવાસમાં જ્યારે આપણો ૧ર કલાક સુધી કંઇ ખાતા નથી ત્યારે કિટોસિસની પ્રક્રિયા શરૂ થઇ જાય છે જેમાં આપણા શરીરની કોશિકાઓ શરીરમાં રહેલી ફેટને ઓગાળીને તેના માધ્યમથી ઊર્જા લેવા લાગે છે.