મગની દાળ અનાજમાં સૌથી વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. એમાં કેલેરી ખૂબ જ ઓછી અને વિટામીન એ બી સી અને ઇ નું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત મેગ્નેશિયમ કોપર ફાઇબર પોટેશિયમ આયરન વગેરે જેવા પોષકતત્વોનો ખજાનો હોય છે. એના ગુણોના કારણે સ્પ્રાઉટમાં પણ એને ખાસ જગ્યા આપવામાં આવી છે. જાણો ફણગાવેલા મગ ખાવાના ફાયદા વિશે.
ફણગાવેલા મગમાં મળી આવતા એમિનો એસિડ્સ પોલી ફેનોલ્સ અને ઓલિગો સેકેરાઇડ કેન્સર સેલ્સ ફેલાતા રોકવાનું કામ કરે છે. એનાથી કેન્સરથી બચી શકાય છે. એની સાથે જ મગ દાળમાં રહેલા ફ્લેવેનાઇડ્સ ફ્રી રેડિકલ્સથી બચવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
જે લોકોને બ્લજ પ્રેશર હાઇ રહે છે. એમને ફણગાવેલા અનાજનું સેવન કરવું જરૂરી છે. એમાં સોડિયમ હોતું નથી જેને ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર અને રક્ત ચાપ કંટ્રોલ રહે છે.
ફણગાવેલા મગની દાળ પાચન ક્રિયા દુરુસ્ત રહેવા લીવર રોગ પ્રતિરોધક ક્ષમતા સુધારવા પેટના રોગો વગેરેમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.