હિન્દુ ધર્મની અંદર અનેક પ્રકારના વાર-તહેવાર આવતા હોય છે અને આ વાર-તહેવારે લોકો વ્રત રાખતા હોય છે. લોકો વ્રત ની અંદર ફરાળ કરીને પોતાનો આખો દિવસ પસાર કરે છે. જો વાત કરવામાં આવે ફરાળી વસ્તુઓની તો તેમાં સાબુદાણા નું નામ સૌથી મોખરે આવે છે.
લોકો ઉપવાસમાં કે એકટાણાંમા સાબુદાણામાંથી બનેલી ડિશ ખાવાનુ પસંદ કરે છે. હવે શ્રાવણમાં તો લોકો સાબુદાણામાંથી બનેલી વિવિધ ડિશ આરોગશે, સાબુદાણાંના વડા હોય,પેટીસ , સાબુદાણાની ખીચડી કે ભેળ કેપછી સાબુદાણાની ખીર. સાબુદાણા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
- એક સંશોધન અનુસાર સાબુદાણા તમને તરોતાજા રાખવામાં મદદ કરે છે. તેનો ચોખા સાથે પ્રયોગ કરાય ત્યારે તે શરીરમાં વધતી ગરમીને ઘટાડે છે અને શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે.
- જ્યારે કોઇ કારણસર પેટ ખરાબ થયુ હોય અને ડાયેરિયાની સમસ્યા થઇ હોય ત્યારે દુધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર અસરકારક સાબિત થાય છે અને તાત્કાલિક આરામ આપે છે.
- સાબુદાણામાં મળી આવતુ પોટેશિયમ રક્ત સંચારને બહેતર કરીને તેને નિયંત્રિત કરે છે. તેનાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તે માંસપેશીઓ માટે પણ ફાયદાકારક છે.
- પેટમાં કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો સાબુદાણા ખાવા લાભદાયક છે. તે પાચનક્રિયાને યોગ્ય કરીને ગેસ, અપચા જેવી સમસ્યાઓમાં પણ લાભ આપે છે.
- સાબુદાણા કાર્બોહાઇડ્રેડનો એક સારો સ્ત્રોત છે. તે શરીરમાં તાત્કાલિક અને આવશ્યક ઉર્જા આપવામાં મદદ કરે છે.
- સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામીન બી કોમ્પ્લેક્સ હોય છે જે ગર્ભવતી મહિલા માટે ખુબ જ ફાયદાકારક છે. તેના ગર્ભમા ઉછરી રહેલા બાળકના વિકાસમાં સહાયક હોય છે.
- સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપુર માત્રામાં હોય છે જે હાડકાને મજબુત બનાવી રાખવા માટે અને જરુરી ફ્લેક્સિબિલીટી માટે પણ ફાયદાકારક છે.
- સાબુદાણા ખાવાથી થાક દુર થાય છે. તે થાક ઘટાડીને શરીરમાં આવશ્યક ઉર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.