આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, લોકો એની તૈયારીમાં જાત જાતની શિંગની ચીકી, મમરાના લાડુ, તલ-ગોળના લાડુ બનાવીને મજા માણે છે. ત્યારે આજે અમે તમને એવું જણાવી રહ્યા છે તલ-ગોળના લાડું ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
મહિલાઓમાં થતી માસિક ધર્મ સંબંધ પરેશાનીમાં આ લાભકારી હોય છે. ન માત્ર આ દુખાવામાં આરામ આપે છે. પણ માસિક ધર્મને પણ નિર્બાધ કરે છે.
તલના લાડું પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. આ કબજિયાત, ગૈસ અને એસિડીટીને ખત્મ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદગાર હોય છે.
તણાવને ઓછો કરવા માટે તલના લાડુનું સેવન કરાય છે કારણ કે તલ અને ગોળના સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે.
આ પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂકા મેવા અને ઘીનો પ્રયોગ કરી બનાવવાના કારણે આ ખૂબ પૌષ્ટિક હોય છે અને વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ હોય છે.