શું સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે તમે ક્યારેય મેથીના દાણીનું સેવન કર્યું છે?
મેથીના દાણાનો આ રીતે કરો ઉપયોગ
સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે મેથી
મેથીના દાણામાં અઢળક ફાયદાઓ છુપાયેલા છે
વઘારમાં ઘણા લોકો મેથીના દાણાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે પણ મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ક્યારેય મેથીના દાણાનો ઉપયોગ કર્યો છે? જો નહીં તો તમને જણાવી દઈએ કે આ નાના નાના મેથીના દાણામાં અઢળક ફાયદાઓ છુપાયેલા છે. જે મોટી મોટી બિમારીઓને ભગાડી શકે છે.
સાંધાના દુખાવામાં રાહત
ઘણી વખત સાંધામાં દુખાવો અને સોજો આવતો હોય છે. જેને અર્થરાઈટિસ (Arthritis) કહેવામાં આવે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે તમે મેથીના દાણાની મદદ લઈ શકો છો. મેથીમાં આયર્ન(Iron), કેલ્શિયમ (Calcium), ફોસ્ફોરસ (Phosphorus), એન્ટી-ઈન્ફ્લેમેટરી (Anti-Inflammatory) અને એન્ટી-ઓક્સીડેન્ટ (Anti-Oxident) જેવા ગુણો હોય છે. જે સાંધાના દુઃખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
વજન ઓછુ કરવામાં કરે છે મદદ
વજન ઓછું કરવામાં પણ મેથીના દાણા ખૂબ મદદ કરે છે. મેથીમાં ઘણા પ્રકારના પોલીફેનોલ્સ (Polyphenols) હોય છે જે વજન ઓછુ કરવામાં કારગર સાબિત થાય છે. તેની સાથે જ મેથી શરીરમાં ફેટને જનમા થવાથી રોકવાનું કામ કરે છે. મેથીમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં હોય છે જે આહારને પચાવવાની સાથે સાથે ભૂખને કંટ્રોલ કરે છે.
સોજાને ઓછુ કરે છે
મેથીના દાણા શરીરમાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. મેથીના દાણામાં લિનોલેનિક અને લિનોલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ એસિડને પેટ્રોલિયમ ઈથર ના અર્કમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી એક્ટિવિટી હોય છે જે સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીઝને કરે છે કંટ્રોલ
મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડમાં શુગરનું લેનલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબિટીઝમાં તેનો ફાયદો આ ગાણામાં હાજર હાઈપોગ્લિસેમિક પ્રભાવના કારણે થઈ શકે છે. જે બ્લડમાં શુગરની માત્રાને ઓછી કરવા માટે જાણવામાં આવે છે.