શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં લોકો હેલ્ધી વસ્તુઓ વધુ ખાય છે કારણ કે આ સિઝનમાં ભારે ખોરાક પણ પચી જાય છે. એવામાં ઈંડા સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક હોય છે અને ઘણી સમસ્યાઓને દૂર પણ કરે છે. પણ મોટાભાગના લોકોને ઓમલેટ ખાવું વધુ પસંદ હોય છે. પણ જો તમે ઓમલેટની જગ્યાએ રોજ બાફેલું ઈંડુ ખાઓ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. એમાંય રોજ સવારે નાસ્તામાં ઈંડા ખાવાથી ઘણાં ફાયદા મળે છે. એક હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 2 ઈંડા ખાવા ફાયદાકારક છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે યોક વિનાના એગ ખાવા જોઈએ. તો આજે જાણી લો રોજ ઈંડા ખાવાથી મળતાં ફાયદાઓ વિશે.
ઈંડાના ફાયદા
ઈંડાના સફેદ ભાગમાં વિટામિન D, વિટામિન B6, સેલેનિયમ, B12, ઝિંક, કોપર અને આયર્ન જેવા તત્વો હોય છે. ઈંડાની જર્દીમાં કેલરી અને ફેટ વધુ હોય છે. આ પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
દરરોજ 2 બાફેલા ઇંડા ખાવાથી શરીરમાં ઓમેગા -3 અને ફેટી એસિડ્સ જેવા પોષક તત્વો મળે છે. જે શરીર માટે ફાયદાકારક છે. બાફેલા ઇંડામાં, કોલિન નામનું તત્વ પણ હોય છે. જે યાદશક્તિમાં વધારો કરે છે.
શરીરની નબળાઇની સમસ્યાથી પીડિત લોકોએ દરરોજ 2 બાફેલા ઇંડા ખાવા જ જોઈએ. આ શરીરને તાકાત આપે છે. આખો દિવસ શરીર સક્રિય રહે છે અને શારીરિક નબળાઇની સમસ્યા દૂર થાય છે. .
દરેક વ્યક્તિએ દરરોજ 2 બાફેલા ઇંડા ખાવા જ જોઈએ. તે શરીરમાં વિટામિન અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેથી સવારના નાસ્તામાં બાફેલા ઇંડા ખાવા જ જોઇએ.
ઈંડા ખાવાથી વજન ઘટી શકે છે. નાસ્તામાં ઈંડા ખાવાથી વધુ વજન વાળા લોકોને ઓવરઈટિંગથી બચાવે છે. જે તેમને વધુ ખાવાથી રોકે છે અને ભૂખ ઓછી લાગવાને કારણે વજનમાં ઘટાડો જોવા મળે છે.
કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં લોકોને ખૂબ જ નાની ઉંમરમાં જ ચશ્માં આવી જાય છે. ઈંડામાં એન્ટીઓક્સીડટ્સ જેવા લિટ્યૂન હોય છે. જે આંખો સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડા ખાવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને મોતિયો આવતા રોકે છે.
ઈંડામાં વિટામિન D હોવાથી હાડકાને મજબૂત બનાવે છે. જે કેલ્શિયમ એબ્સોર્બ કરવા માટે જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં ઈંડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે. કારણ કે તેની અંદર સલ્ફર અને એમિનો એસિડની સારી માત્રા હોય છે.