એલચી ભોજનનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે. કેટલાક લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ એલચીનો ઉપયોગ કરે છે, પણ શું તમે જાણો છો કે એલચી ખાઈને નવશેકું પાણી પીવાથી ગંભીર સમસ્યાઓ દૂર કરી શકાય છે. એલચી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી પેટ અંદર જતું રહે છે, સવારે પેટ સાફ આવે છે અને વાળ પણ ખરતાં અટકે છે. ચાલો જાણીએ ફાયદા.
આ છે ફાયદા
પેટ થઈ જશે અંદર
જો તમારા પેટ પર ચરબી વધી ગઈ છે તો રોજ રાતે 2 એલચી ખાઈને ઉપર 1 ગ્લાસ ગરમ પાણી પીવો. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી1, બી6 અને વિટામિન સી હોય છે. જે એક્સટ્રા કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
પેટની તકલીફો
સૂતા પહેલાં 2 એલચી ખાઈને પાણી પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમને પણ સવારે પેટ સાફ ન આવતું હોય તો આ ઉપાય અવશ્ય ટ્રાય કરો.
અનિદ્રા
જો તમને રાતે બરાબર ઊંઘ ન આવતી હોય અને બેચેની ફીલ થતી હોય તો એલચી ખાઈને ઉપર ગરમ પાણી પીવો. તેમાં રહેલાં એન્ટીડિપ્રેસેન્ટ ગુણ તણાવ ઓછો કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
પિંપલ્સથી છૂટકારો
જો તમને સ્કિન સંબંધી સમસ્યાઓ થતી હોય અને પિંપલ્સ વધુ થતાં હોય તો રોજ રાતે એલચીનો આ ઉપાય કરો. પિંપલ્સ દૂર થવા લાગશે.
મોંની બીમારીઓ દૂર કરે છે
રોજ એલચી ખાઈને ગરમ પાણી પીવાથી મોંમાં રહેલાં બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેનાથી કેવિટીનો પ્રોબ્લેમ થતો નથી. સાથે જ મોંની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને પેઢા હેલ્ધી રહે છે.
પથરીની સમસ્યા
સૂતા પહેલાં એલચી ખાઈને ગરમ પાણી પીવાથી પથરી યૂરીન વાટે બહાર નીકળી જાય છે. સાથે જ છાતીમાં બળતરા અને સાંધામાં દર્દની તકલીફ પણ દૂર થાય છે.
વાળ ખરતાં અટકશે
પ્રદૂષણ, તણાવ અને ખરાબ ડાયટને કારણે વાળ નબળાં થવા લાગ્યા છે. જેના કારણે વાળ પુષ્કળ ખરે પણ છે. પણ એલચીનો આ ઉપાય તમારી વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં કારગર છે. સાથે જ તેનાથી ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.