જ્યારે પણ તમે પાણી પીઓ છો ત્યારે તાંબાના વાસણમાં રાખેલું કે તાંબાની બોટલનું પાણી પીવાથી હેલ્થને અનેક ફાયદા થાય છે.
બીમારી મુક્ત રહેવા કરો આ કામ
તાંબાના વાસણનું કે તાંબાની બોટલમાં રાખેલું પાણી પીઓ
પાણીના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
આપણે સૌ જાણીએ છીએ કે તાંબુ એક એવી ધાતુ છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તાંબાનો પ્રયોગ ઘા માટે, માથુ દુખે ત્યારે કે પછી કોલેરાની ટ્રીટમેન્ટમાં પણ ફાયદારૂપ માનવામાં આવે છે. ઘરે પ્રયોગ કરાતા વાસણોમાં પાણી પીવા માટે ખાસ કરીને જગ, ગ્લાસ અને બોટલને બદલે તાંબાનો પ્રયોગ કરાય તો તે હેલ્થને માટે લાભદાયી રહે છે.
આ છે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાના ફાયદા
તાંબામાં એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે જે કેન્સરના કારક ફ્રી રેડિકલ્સ અને તેના દુષ્પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.
તાંબામાં મેલાનિન હોય છે જે સ્કીનને યૂવી પ્રોટેક્ટ કરે છે અને નુકસાનથી બચાવે છે.
તાંબાના કારણે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિઈસરાઈડ્સનો ખતરો ઘટે છે.
આ થાઈરોઈડ ગ્રંથિને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
આ હિમોગ્લોબિનને બનાવીને શરીરમા આયર્નને અવશોષિત કરવામાં મદદ કરે છે અને તેનાથી એનિમિયાની ફરિયાદ દૂર થાય છે.
તાંબાના ગુણના કારણે આર્થરાઈટિસના દર્દમાં રાહત મળી શકે છે.
તાંબાનું પાણી શરીરની વધારાની ચરબીને ખતમ કરવામાં કારગર છે.
આ લોહીની કોશિકાઓમાં રહેતા પ્લાકને દૂર કરે છે અને લોહીનો સંચાર વધારે છે તેનાથી હાર્ટ ડિસિઝનો ખતરો વધે છે.
તાંબાનું પાણી પીવાથી અનેક પ્રકારના સંક્રમણથી રાહત મળે છે.
તે શરીરને ડિટોક્સીફાઈ કરે છે.
કોપરના વાસણનું પાણી આટલા સમયમાં પી લેવાય તો જ યોગ્ય
રાતે કોપરના વાસણમાં, જગ કે બોટલાં પાણી ભરો તો સવારે પાણી પી લો. 6-8 કલાકમાં આ પાણી ફાયદો આપે છે. તેને પીવાની ખાસ રીત એ છે કે તમે તેને સવારે ખાલી પેટે પીઓ. દિવસમાં 2 વરા આ પાણી પી શકો છો. પરંતુ તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને ન રાખો.
આ રીતે કરો તાંબાના વાસણની સફાઈ
તાંબાના વાસણ ઓક્સીજન અને લિક્વિડના સંપર્કમાં આવતા કાળા થઈ જાય છે. તેને સાફ કરવા માટે તમે લીંબુ અને મીઠાની મદદ લો.