મોટેભાગના લોકો હેલ્ધી બોડી માટે રોજ દૂધ પીવે છે. દૂધમાં રહેવા પોષક તત્વો શરીર અને હાંડકાઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ જ રીતે તુલસીના પાનમાં પણ અનેક ઔષધિય ગુણો રહેવા છે. જેથી જો તુલસી અને દૂધને સાથે લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઇ જાય છે. દૂધ ઉકાળતી વખતે તુલસીના 3-4 પાન ધોઈ મિક્સ કરવા. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આવું દૂધ પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે. જેથી આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર પ્રિયંકા સંપત પાસેથી જાણો તુલસીવાળું દૂધ પીવાના ફાયદા.
- તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેથી તેને રેગ્યુલર સવારે ખાલી પેટ દૂધની સાથે લેવાથી સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી બને છે.
- તુલસીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેને દૂધની સાથે લેવાથી તે કેન્સરના સેલ્સને વધતા રોકે છે. જેથી કેન્સરનો ખતરો ટળે છે.
- દરરોજ સવારે ખાલી પેટે તુલસીવાળું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હૃદયની નળીઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે.
- કિડની સ્ટોન થવા પર રેગ્યુલર સવારે તુલસીવાળું દૂધ પીવો. તેનાથી કિડની સ્ટોન ઓગળીને નીકળી જાય છે અને કિડની હેલ્ધી રહે છે.
- સિઝનમાં આવતા ફેરફારને કારણે શરદી ખાંસી તાવની સમસ્યામાં રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.
- રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી બોડીમાં કફની પ્રોબ્લેમ દૂર થાય છે. જેનાથી શ્વાસ લેવામાં થતી તકલીફ અને અસ્થમામાં રાહત મળે છે.