છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદા મળે છે. ત્યારે કોરોનાના સમયમાં હેલ્ધી રહેવા પીવો આવું દૂધ અને ખાઓ ખારેક.
કોરોના કાળમાં સ્વાસ્થ્યનું ધ્યાન વધુ રાખવું જોઈએ
આ સમસ્યામાં શરીર હેલ્ધી રહે એવી વસ્તુઓનું સેવન કરો
છુહારાવાળું દૂધ પીવાથી અનેક લાભ મળશે
ખારેકમાં વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફાયબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, કે, બી2, બી6, થાયમિન, નિયાસિન, સેલેનિયમ, ફોસ્ફરસ, કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે. છુહારાવાળું દૂધ પીવાથી અથવા છુહારા ખાવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તેના માટે દૂધ ગરમ કરી તેમાં છુહારાના નાના ટુકડા કરી દૂધમાં બરાબર ઉકાળો. પછી તેમાં થોડી સાકર મિક્ષ કરી પીવો અને ખારેક ચાવીને ખાઓ. વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે. તો આજે જાણી લો દૂધમાં ખારેક નાખીને પીવાથી થતાં ફાયદાઓ વિશે.
ફાયદાઓ
જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય તો તેમને ખારેક ઘણી મદદ કરે છે. ખાસ કરીને બાળકોને પણ એ આપી શકાય છે. ખારેકથી સરળતાથી આ તકલીફ દૂર થઈ શકે છે. તમે રોજ ખારેકવાળું દૂર પી શકો છો.
જેમને અવારનવાર શરદી થઈ જતી હોય, વારંવાર માંદા પડતા હોય એવા લોકોએ ખારેકવાળું દૂધ પીવું જોઈએ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આવી સમસ્યાઓ થતી નથી.
ખારેક કોલેસ્ટ્રોલની માત્રાને શરીરમાં નિયંત્રણમાં રાખે છે, જેને લીધે હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘટી જાય છે.
ખારેકવાળું દૂધ પીવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લાગતી. ખાલી પેટે, સાંજના સમયે નાસ્તામાં ચાર ખારેક ખાઈ લેવાથી ડિનરમાં વધુ ભૂખ નથી લાગતી અને વ્યક્તિ હળવું ડિનર લઈ શકે છે.
આ સિવાય ખારેકવાળું દૂધ ડાયાબિટીસ, ઉધરસ, નબળાઈ, ટીબી, શુક્રાણુની કમી, દાંતમાં દુખાવો, એનીમિયામાં પણ ઉપયોગી થાય છે.
બાળકોના મગજના વિકાસ માટે નાનપણથી જ બાળકોને ખારેકવાળું દૂધ આપવું જોઈએ. તેનાથી માનસિક વિકાસ સારો થાય છે અને મેમરી પણ વધે છે.
દુર્બળ વ્યક્તિઓને તાકાત માટે ખારેકનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે. સૂકી ખારેક બારેમાસ લઈ શકાય છે.