નવરાત્રીની તારીખ નજીક છે. મા દુર્ગાના ભક્તો આખુ વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. અહીં કેટલાક ઉપાયો છે જેને કરવાથી આ નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા તમારા પર બની રહેશે.
નવરાત્રીમાં આ રીતે કરો મા દુર્ગાની પૂજા
માતાની કૃપા તમારા પર બની રહેશે
જાણો કઈ રીતે કરશો પૂજા
હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું ખાસ મહત્વ છે. આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસોમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે. વિવિધ સ્થળોએ સુંદર પંડાલનું આયોજન કરવામાં આવે છે.
મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારો જણાવે છે કે જે પણ આ દિવસોમાં માતાની પૂજા કરે છે તેમના પર માતાની કૃપા રહે છે. આ દરમિયાન માતાની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમોને સમજવા જરૂરી છે.
નવરાત્રી પર કરો ઉપવાસ
કહેવાય છે કે મન હવા કરતાં પણ વધારે ચંચળ હોય છે. મનની એકાગ્રતા માટે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ. તેનાથી મન શુદ્ધ થાય છે અને મનમાં હંમેશા સારા વિચારો આવે છે.
નવ દિવસ કરો માતાનો શણગાર
હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિના આ ખાસ દિવસોમાં માતા દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. આ ખાસ દિવસોમાં ભક્તો માતાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરે છે. તમારે યાદ રાખવાનું છે કે પૂજાના આ દિવસોમાં માતાનો ખાસ શ્રૃંગાર કરવાનો હોય છે અને પૂજા સામગ્રી અર્પણ કરવાની હોય છે.
દરરોજ કરો મંદિરના દર્શન
આ નવ દિવસોમાં તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ. તેનાથી માતાની કૃપા તમારા પર બની રહેશે અને પરિવારનું કલ્યાણ થશે. આ દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. યાદ રાખો કે માતાની પૂજા દરમિયાન તેમને જળ જરૂર અર્પણ કરો.
નવરાત્રી પર અખંડ જ્યોતિ પ્રગટાવો
કલશની સ્થાપના સાથે તમારે અખંડ જ્યોતિને નવ દિવસ સુધી પ્રજ્વલિત કરવી જોઈએ. પ્રયત્ન કરો કે દીવો શુદ્ધ ગાયના ઘીનો હોવો જોઈએ અને તે માતાની મૂર્તિ પાસે હોવો જોઈએ.
કન્યા પૂજાથી થશે લાભ
નવરાત્રિના આઠમા દિવસે એટલે કે અષ્ટમીના દિવસે પૂજાનું ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ નવ કન્યાઓમાં માતાનો વાસ હોય છે.