ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. તેને નિયમિત ખાવાથી કોરોનાથી લઈને અનેક ગંભીર રોગો દૂર રહે છે.
રોજ માત્ર 1 ચમચી આ ચ્યવનપ્રાશના છે ચમત્કારી ફાયદા
આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકથી રોગો રહેશે દૂર
નાન મોટા બધાંએ રોજ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ
ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે. રોજ 1 ચમચી એટલે કે 12 ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અથવા રાતે સૂતા પહેલાં લેવું.
ચ્યવનપ્રાશ ખાવાના ફાયદા
ચ્યવનપ્રાશનું સેવન શરદી-ખાંસી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે અને તે ઈમ્યૂનિટી પણ ઝડપથી વધારે છે.
ચ્યવનપ્રાશ ખાવાથી ડાઈજેશન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે. સાથે જ કબજિયાતની સમસ્યામાં પણ લાભ થાય છે.
ચ્યવનપ્રાશ ખાવાથી ફેફસાં સંબંધી રોગો થતાં નથી. સાથે અસ્થમા અને શ્વાસની તકલીફમાં પણ તે લાભકારી છે.
ચ્યવનપ્રાશમાં અનેક હર્બ્સ હોવાથી તેને ખાવાથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જેનાથી સ્કિન ગ્લોઈંગ અને હેલ્ધી બને છે.
નિયમિત ચ્યવનપ્રાશ ખાવાથી બોડી ટોક્સિન્સ દૂર થાય છે અને તે બ્લડને પણ પ્યૂરીફાય કરે છે.
ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સુઅલ પ્રોબ્લેમ્સને દૂર રાખે છે અને ફર્ટિલિટી પણ વધારવામાં મદદ કરે છે.
જો તમને તણાવ રહેતો હોય ચ્યવનપ્રાશ ખાવાથી આ સમસ્યા દૂર થશે. તેમાં રહેલાં હર્બ્સ માઈન્ડને રિલેક્સ રાખવામાં મદદ કરે છે.
ચ્યવનપ્રાશ ખાવાથી બાળકો અને મોટાઓ બધાંની મેમરી શાર્પ થાય છે અને બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં રહેલાં હર્બ્સ બ્રેનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ચ્યવનપ્રાશમાં રહેલાં પાવરફુલ હર્બ્સ બોડીને ભરપૂર એનર્જી આપે છે અને થાકને પણ દૂર રાખે છે.
ચ્યવનપ્રાશ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલાં હર્બ્સ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
આયુર્વેદ મુજબ ચ્યવનપ્રાશ ખાવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટે છે.
ચ્યવનપ્રાશ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડપ્રેશર પણ નોર્મલ રહે છે.
રેગ્યુલર ચ્યવનપ્રાશ ખાવાથી નખ અને વાળ પણ હેલ્ધી રહે છે.
યૂરિન ઈન્ફેક્શનની સમસ્યામાં ચ્યવનપ્રાશ ખાવાથી લાભ થાય છે.