સામાન્ય રીતે જ્યારે કોઇ રડે છે ત્યારે તેને કમજોર માનવામાં આવે છે. આ જ કારણ છે કે પુરુષો રડવાનુ પસંદ કરતા નથી પરંતુ ક્યારેક ક્યારેક રડી લેવુ જોઇએ.
આંસુ ફાયદાકારક હોય છે
દર્દથી આરામ મળે છે
રડવાથી થાય છે ફાયદો
વિજ્ઞાનમાં આ વાત સાબિત થઇ છે કે પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરવાથી, હસવાથી રોવાથી ઘણા ફાયદા શરીરને પહોંચે છે. જેમ ખુલીને હસવાથી ફેફસાની કસરત થાય છે અને મસલ્સને રાહત પહોંચે છે તે જ રીતે રોવાથી પણ ફાયદા થાય છે.
ત્રણ રીતના આંસુ હોય છે
રિફ્લેક્સ આંસુ ત્યારે આવે છે જ્યારે આંખમાં કચરો કે ધુમાડો ગયો હોય. બીજા છે બેઝલ આંસુ જેમાં 98 ટકા પાણી હોય છે અને તે આંખોને લુબ્રિકેટ રાખે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે. ત્રીજા છે ભાવનાત્મક આંસુ જેમાં સ્ટ્રોસ હોર્મોન્સ અને ટોક્સિનની માત્રા વધારે હોય છેય તમને જણાવી દઇએ કે મનુષ્ય જ એકમાત્ર એવી પ્રજાતિ છે જે રોઇ શકે છે.
આરામ ફીલ થાય છે
જો તમારુ મન હેવી થઇ ગયુ હોય અને તમે મનભરીને રડી લો છો તો હળવાશ અનુભવાય છે. 2014ના વર્ષમાં થયેલી એક શોધ અનુસાર તમે કોઇ વાતથી પરેશાન છો અને કંઇ પણ સારુ નથી લાગી રહ્યુ તો રડી લેવાથી સારુ લાગશે. રડી લીધા બાદ તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ હોવ છો.
દર્દથી મળે છે આરામ
જ્યારે તમે રડો છો ત્યારે બોડીમાં ઓક્સીટોસીન અને ઇંડોરફિર કેમિકલ્સ રિલીઝ થાય છે જે તમારા મૂડને સારુ બનાવે છે અને સાથે સાથે ફીઝીકલ અને મેન્ટલ પેઇનને પણ ઓછુ કરે છે.
ફીલ ગુડ કેમિકલને કરે છે રિલીઝ
જ્યારે પણ તમે મનભરીને રોઇ લો છો ત્યારે બોડીમાં ઓક્સિટોક્સિન અને ઇન્ડોર્ફિન જેવા કેમિકલ રિલીઝ થાય છે. આ ફીલ ગુડ કેમિકલ છે જેના રિલીઝ થવાથી તમને જાતે જ હળવાશ ફીલ થવા લાગે છે અને થોડા જ સમયમાં શ્રેષ્ઠ મુડ થઇ જાય છે.
શરીરના ટોક્સિનને કરે છે બહાર
જ્યારે કોઇ તણાવના કારણે માણસ રડે છે ત્યારે તેના શરીરમાં રહેલુ ટોક્સિન ધીરે ધીરે આંસુના સહારે બહાર નીકળી જાય છે. આ આંસુ કેટલાક ગુડ હોર્મોન રિલીઝ કરે છે અને જે શારીરિક અને માનસિક હેલ્થ માટે સારા હોય છે.
ઉંઘ સારી આવે છે
વર્ષ 2015ની સ્ટડીમાં એવુ સામે આવ્યું કે બાળક જ્યારે રડે છે તેના તુરંત બાદ તેને સારી ઉંઘ આવે છે. આવુ વયસ્ક માણસો સાથે પણ થાય છે. રોવાથી મગજ શાંત થાય છે અને બેચેની પણ ઘટી જાય છે જેનાથી ઉંઘ સારી આવે છે.