આપણે સવારે ઊઠીને જે પણ કામ કરીએ છીએ તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. લોકો ઘણાં પ્રકારના મોર્નિંગ રિચ્યુઅલ ફોલો કરતાં હોય છે. પણ આજે અમે તમને એક બેસ્ટ ઉપાય જણાવીશું.
સવારે ખાલી પેટ ચા-કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે
આયુર્વેદમાં ઘીને ઊર્જા આપનાર કહેવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં 1 નાની ચમચી એટલે કે 5થી 10 ગ્રામ ઘી પીવો અને તેની પર 1 ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડમાં જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર નિરોગી બની શકે છે. પણ ધ્યાન રાખવું કે ઘી લીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવું નહીં. જો તમને હાર્ટ ડિસીઝ અને કોલેસ્ટ્રોલની બીમારી હોય તો ઘીનું સેવન ન કરવું અથવા કોઈ નિષ્ણાંતની સલાહ લઈને જ ઘી ખાવું.
આ રહ્યાં જબરદસ્ત ફાયદા
જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
ઘી ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે અને સ્કિન હેલ્ધી રહે છે. ઘી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
ચિંતા ન કરો, ઘી ખાવાથી વજન નહીં વધે જો તમે રોજ 1 ચમચીની માત્રામાં ખાશો. આનાથી બોડીનું મેટાબોલિઝ્મ તેજ થશે, જેની મદદથી વજન ઘટશે.
જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ. આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે.
રોજ સવારે ખાલી પેટ ઘી ખાવાથી મગજ એક્ટિવ બને છે. સાથે જ મેમરી અને શીખવાની ક્ષમતા વધે વધે છે. તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર થાય છે.
ઘીમાં એન્ટીકેન્સર તત્વ હોય છે. ખાલી પેટ ઘી ખાવાથી તે બોડીમાં કેન્સર સેલ્સ વધતાં રોકે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે.
ઘણાં લોકોને ભારે ખોરાક ખાધાં બાદ ગેસ, અપચાની સમસ્યા થઈ જતી હોય છે અને પાચન નબળું હોવાથી પણ ખાધેલો ખોરાક પચતો નથી. જેથી રોજ સવારે 1 ચમચી ઘી ખાવાથી આ સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર એકદમ મજબૂત બને છે.