ગરમીના સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેનાથી તમારા બ્યુટી પ્રોબ્લેમ્સ પણ દૂર રહે છે. તો જાણો નાળિયેર પાણી પીવાના કેટલાક ફાયદા અને રોજ શરૂ કરો તેનું સેવન. એક નાળિયેરનાં પાણીમાં 283 કેલરી અને 41 ટકા ફેટ હોય છે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે સાથે તેમાં16 મિગ્રા સોડિયમ, 8 ટકા પોટેશિયમ, 10 ટકા આયર્ન, 2 ટકા વિટામિન ડી,6.0 ટકા વિટામિન બી૬ અને છ ટકા મેગ્નેશિયમ હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, મેંગેનીઝ, એમિનો એસિડ અને સાઇટોકાઇન જેવાં પોષકતત્વો પણ હોય છે.
નારિયેળ પિવાના ફાયદા
કોલસ્ટ્રોલમાં આપશે રાહત
વજન ઘટાડવામાં ઉપયોગી
નાળિયેર પાણી પીવાનો સૌથી યોગ્ય સમય સવારનો હોય છે. રોજ ખાલી પેટ નાળિયેર પાણીનું સેવન જરૂર કરવું જોઇએ. આ ઉપરાંત વર્કઆઉટના સમયે કે બાદમાં, બપોરના જમવામાં કે તેની થોડી વાર પછી નાળિયેર પાણીનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારું વજન કન્ટ્રોલમાં રહે છે અને શરીરને એનર્જી મળે છે.
હાઇબ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે
નાળિયેર પાણીનાં સેવનથી એનર્જી લેવલ વધવાની સાથે શરીર ડિહાઇડ્રેડ પણ થતું નથી. તે બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક રાખે છે. નાળિયેર પાણીમાં વિટામીિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. જો તમને હાઇબ્લડપ્રેશરની સમસ્યા હોય તો અઠવાડિયામાં કમસેકમ ચાર વાર નાળિયેર પાણીનું સેવન કરો.
કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં- ડાયાબિટીસમાં ફાયદો
નાળિયેરમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ જેવાં તત્વ અને ફેટ ફ્રી હોવાના કારણે તે કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરે છે. દિલની બીમારીઓ સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાથી પણ બચી શકીએ છીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે તે એટલે ફાયદાકારક છે કેમકે તેમાં શુગર હોતી નથી. તે શુગર લેવલને કન્ટ્રોલ કરે છે. તેમાં પ્રોટીન, પ્રાકૃતિક ઉચ્ચ પોટેશિયમ અને પ્રાકૃતિક મીઠાશ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણી ખૂબ જ ફાયદાકારક છે.