ચારોળી એક ડ્રાયફ્રૂટ છે. પણ મોટાભાગના લોકો તેના અદભૂત ફાયદાઓથી અજાણ છે. પહેલાં લોકો ખીર અને અમુક મીઠાઈઓમાં તેનો ઉપયોગ કરતાં હતા પણ હવે એમાં પણ તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. આ સસ્તા ડ્રાયફ્રૂટના બહુ જ બધાં અને મોટાં ફાયદાઓ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જેથી તમે પણ તેના ફાયદાઓ મેળવી શકો.
8-10 દાણા કરશે મેજિક
ચારોળીમાં હાઈપ્રોટીન હોવાની સાથે જ લો કેલરી હોય છે. તેનાથી સાથે જ તેમાં ડાયટરી ફાયબર પણ હોય છે. તેનાથી બોડી ક્લિન થાય છે. જો તમે ચારોળીના 8-10 દાણા ખાઓ છો તો તેનાથી ઘણાં બધાં ફાયદાઓ મેળવી શકો છો.
ઓઈલ પણ છે ફાયદાકારક
ચારોળીનો ઉપયોગ ખાવાની સાથે લગાવવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને ટેનિંગ પણ દૂર થાય છે. તેની પેસ્ટ અને ઓઈલનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
વાળનો ગ્રોથ વધારે છે ચારોળી
વાળના ગ્રોથ વધારવા માટે નારિયેળ તેલમાં 10-20 દાણા ચારોળી નાખીને રાખી દો. પછી 3 દિવસ આ ઓઈલને તડકામાં રાખો અને 1 દિવસ છાયડામાં રાખોય પછી રાતે આ તેલ વાલમાં લગાવીને શાવર કેપ પહેરી લો. ચારોળીમાં રહેલાં B1 B3ને કારણે વાળનો ગ્રોથ વધે છે. આ તેલ બાળકો અને મોટાઓના વાળમાં પણ અસર કરે છે.
ટેનિંગ દૂર કરે છે
ચારોળી ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે રાતે કાચા દૂધમાં 10 દાણા ચારોળી લો પછી તેમાં અડધી ચમચી મુલતાની માટી મિક્ષ કરી દો. સવારે તેને મિક્સરમાં પીસી લો. આ સ્કિન ટેનિંગ ખતમ કરવાની સાથે જ રંગ પણ ગોરો કરશે.
સાંધાઓનો દુખાવો દૂર કરે છે
જે લોકોને સાંધાઓમાં દર્દની પ્રોબ્લેમ રહે છે તેમના માટે ચારોળી બેસ્ટ ઉપાય છે. તેના માટે ચારોળીને ગરમ દૂધમાં મિક્ષ કરીને ખાઓ. દૂધને ઉકાળીને તેમાં ચપટી હળદર અને ચારોળી મિક્ષ કરીને ખાઓ.
અલ્સર અને એસિડિટી માટે બેસ્ટ
ચારોળીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છએ. જો તમે રોજ ચારોળીના થોડાં દાણા ખાઓ તો પેટમાં અલ્સર અને એસિડિટીની પ્રોબ્લેમ ઠીક થાય છે. ચારોળી ખાવાથી સાયનસની પ્રોબ્લેમ ઠીક થાય છે.