હાલની જીવનશૈલી આપણા સ્વાસ્થ્યને બગાડી રહી છે. સમયના અભાવે આપણે ખોરાક બરાબર ચાવી શકતા નથી અને પછી પેટની તકલીફો થાય છે.
ભોજનને 32 વખત ચાવીને ખાવું જોઈએ
બરાબર ન ચાવવાથી થઈ શકે છે આ નુકસાન
પેટ સંબંધી સમસ્યાઓ થાય છે
આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આપણે આપણા ખોરાકને 32 વખત ચાવવો જોઈએ. પરંતુ બદલાતા સમયની સાથે આપણે આ નિયમ ભૂલી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે ખોરાક ચાવવો શા માટે જરૂરી છે? તમને જણાવી દઈએ કે ખોરાક ચાવતી વખતે તે આપણા મોઢામાં રહેલી લાળ સાથે ભળી જાય છે અને તે ખોરાક સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો ખોરાકને યોગ્ય રીતે ચાવવામાં ન આવે અને આપણે ખોરાકને ઝડપથી ગળી જઈએ તો તેની પાચન પર ખૂબ જ ખરાબ અસર કરે છે.
ઉતાવળે ન મોટા મોટા કોળીયા ન ભરો
ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. સાથે જ ખોરાકને યોગ્ય રીતે ચાવીને ખાવાના ઘણા ફાયદા છે. કહેવાય છે કે જે કામ દાંતે કરવાનું હોય છે તેનો બોજ પેટ પર ન નાખો એટલે કે જો તમે ખાવાનું બરાબર ચાવશો તો પેટનું કામ સરળ થઈ જશે અને ગેસની સમસ્યા પણ નહીં રહે.
ખોરાક યોગ્ય રીતે ન ચાવવાના ગેરફાયદા
જો તમે ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
ખોરાક યોગ્ય રીતે ન ચાવવાથી શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા.
ખોરાક ઓછો ચાવવાથી વ્યક્તિ ચીડિયાપણું અનુભવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ખોરાક ઓછો ચાવે છે, તો તેને ખાટા ઓડકાર આવવા લાગે છે.
ખોરાક ઓછો ચાવવાથી વ્યક્તિને પેટમાં બળતરા અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
પેટમાં સોજો આવવાનું એક કારણ ખોરાકનું ઓછું ચાવવાનું છે.
ઉબકા આવવા પણ આ આદતનું પરિણામ હોઈ શકે છે.
ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાને કારણે વ્યક્તિને માથાનો દુખાવો થઈ શકે છે.
ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાને કારણે વ્યક્તિને ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે.
આવી આદતોના કારણે વ્યક્તિ સ્કિન સંબંધિત સમસ્યાઓનો શિકાર પણ બની શકે છે.
જો કોઈ વ્યક્તિ પોતાનો ખોરાક ઓછો ચાવે છે તો તે કુપોષણનો ભોગ પણ બની શકે છે.