ચંદ્રયાન-2નું આજે ચંદ્ર પર લેંડિગ થવા જઈ રહ્યું છે ત્યારે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન થશે કે, આ ચંદ્રયાનને કારણે દેશને શું ફાયદા થશે. આપને જણાવી દઈએ કે, ચંદ્રયાન મિશનથી અવકાશ વિજ્ઞાનમાં ભારતનો પ્રભાવ વધશે. બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો અંગે માહિતી મેળવી શકાશે.
ચંદ્રયાનને કારણે દેશને શું ફાયદા ?
ચંદ્રના પહાડો અને ખડકોમાં છુપાયેલા રહસ્યો અંગે માહિતી મળશે. ચંદ્રની ઉત્પતિ અને તેના વિકાસ અંગેના રહસ્યો જાણી શકાશે. ચંદ્રની સંરચનામાં કેવી રીતે ફેરફાર થાય છે તેની માહિતી મળશે. ચંદ્ર પર પાણી કેટલું અને ક્યા સ્વરૂપે છે તે જાણી શકાશે.
તો આ સાથે જ ચંદ્રના ક્યા ભાગમાં પાણી છે તેના વિશે માહિતી મળશે. આ ઉપરાંત ચંદ્રની માટીની વિશેષતા અંગે પણ માહિતી મળશે. ચંદ્ર પર કેવા પ્રકારના ખડકો છે. ચંદ્રની સપાટી પર ભૂકંપ આવે છે કે નહીં વગેરે વિશે માહિતી મેળવી શકાશે. આ મિશનની સફળતા બાદ ભવિષ્યના સંશોધનો માટે નવા દ્વાર ખુલશે. સંશોધનો માટે કેવી ટેકનિકનો ઉપયોગ કરવો તેની જાણ થશે.
Chandrayaan 2 નું મૂન લેન્ડિંગ જોઇ શકાશે Live
વાસ્તવમાં તાજેતરમાં જ આવેલા રિપોર્ટ પ્રમાણે ડિઝની ઇન્ડિયા, નેશનલ જિયોગ્રાફિક, હૉટસ્ટાર, સ્ટાર પ્લસ અને સ્ટાર ભારત ચેનલ આજે રાતે 6 સપ્ટેમ્બર 11.30 વાગ્યે વધારેમાં વધારે 100 દેશોમાં આ મિશનને ટેલીકાસ્ટ કરાશે. 7 સપ્ટેમ્બરે 1:30 am 2:30 am ની વચ્ચે ચંદ્રયાન 2 ચંદ્ર પર લેન્ડ કરશે.
આ ઇવેન્ટને જોવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઇસરોમાં હાજર રહેશે. તો બીજી બાજુ ગત મહિને એક ઓનલાઇન સ્પેસ ક્વિઝ ક્લિયર કરનાર દેશભરની 60 થી વધારે શાળાના વિદ્યાર્થી પ્રધાનમંત્રીની સાથે આ ઐતિહાસિક ક્ષણને જોઇ શકશો.
ISRO ના વડાનું નિવેદન
ચંદ્રયાન-2 નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આ સફળતા પ્રાપ્ત કરનારું રાષ્ટ્ર બનશે.આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશન બની જશે.
ચંદ્રયાન-2ની શુ છે ખાસિયત
ચલો તમને જણાવીએ કે ચંદ્રયાન 2ની કેટલીક ખાસિયત. Chandrayaan 2 અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલું ભારતીય અભિયાન હશે. આ મિશન ભારતને અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બનશે.
ચંદ્રયાન 2 નું વજન 3877 કિલો છે. 22 જુલાઇએ આ દેશની સૌથી તાકતવર GSLV માર્ક 3 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધૃવ પર આ લેન્ડરને ઉતારવામાં આવશે. લેન્ડરના ઊતરતા જ દક્ષિણ ધૃવ પર યાન ઉતારનાર ભારત પહેલો દેશ બની જશે.