આયુર્વેદમાં અજમાને ઉત્તમ ઔષધી જણાવવામાં આવી છે. જેથી આજે અમે તમને રોજ અજમાનું પાણી પીવાના જબરદસ્ત ફાયદા જણાવીશું.
આયુર્વેદમાં અજમાને ઉત્તમ ઔષધી જણાવવામાં આવી છે
અજમામાં 100 પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે
અજમો પાચન ક્રિયા સંબંધી બધાં જ રોગોમાં ફાયદો કરે છે
અજમામાં 100 પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે. જેથી અજમો પાચન ક્રિયા સંબંધી બધાં જ રોગોમાં ફાયદો કરે છે. અજમો કિચનમાં રહેલો સામાન્ય મસાલો ભલે હોય પણ તેનો ઉપયોગ ગેસ, અપચો દૂર કરવામાં મદદ કરે છે. અજમો માત્ર ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો પણ બીમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની મુજબ જો સવારે અજમાનું પાણી પીવામાં આવે તો આખા શરીર માટે તે ફાયદાકારક રહે છે. અજમામાં ડાયટરી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને અન્ય મિનરલ્સ જેવા કે, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન હોય છે. આ સિવાય તેમાં થાઈમોલ હોય છે જે તેને અલગ સ્વાદ અને સુગંધ આપે છે. આયુર્વેદ મુજબ જે મહિલાઓને વાત અને કફની સમસ્યા હોય તેમણે રોજ અજમાના પાણીનું સેવન કરવું. તો ચાલો જાણી લો ફાયદા અને બનાવવાની રીત.
અજમાનું પાણી બનાવવાની રીત
અજમાનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો રાતે પલાળી દેવો. સવારે આ પાણી અડધું રહે એટલું ઉકાળીને ગાળી લેવું, ઠંડુ થાય એટલે સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી મહિલાઓની હેલ્થની ઘણી પરેશાનીઓ દૂર થશે. સાથે જ તેના કફ, શરદી અને પેટ દર્દની સમસ્યા પણ દૂર થશે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટસ હોય છે, જેથી તે ઈમ્યૂનિટી પણ વધારે છે.
ફાયદા
ઘણી મહિલાઓને વારંવાર યૂરિન ઈન્ફેક્શનની સમસ્યા થઈ જતી હોય છે. જેથી સવારે રોજ આ પાણી પીવાથી આ સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધમાં પણ આ પાણી બેસ્ટ છે. ખરાબ ખાનપાનને કારણે ઘણીવાર ગળામાં દુખાવો કે મોંમાં દુર્ગંધની સમસ્યા થાય છે પણ અજમાનું પાણી આ સમસ્યા દૂર કરી દેશે.
મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા અને વજન ઘટાડવા માટે પણ મહિલાઓએ રોજ અજમાનું પાણી પીવું જોઈએ. તેનાથી વજન ઉતારવામાં પણ મદદ મળે છે.
બોડીમાં રહેલાં ટોક્નિન્સ દૂર કરવા માટે પણ અજમાનું પાણી રામબાણ છે. રોજ સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી બોડીના બધાં જ ટોક્સિન્સ દૂર થઈ જાય છે.
અજમાનું પાણી પેટ દર્દ માટે બેસ્ટ ઔષધી છે. રોજ સવારે અજમાનું પાણી પીવાથી પેટ દર્દની તકલીફમાં રાહત મળે છે.
જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેમણે રોજ સવારે આ પાણી પીવું. તેનાથી ગેસ દૂર થશે.
જે મહિલાઓને પીરિયડ્સ સંબંધી સમસ્યાઓ થતી હોય તેના માટે પણ આ પાણી કારગર સાબિત થાય છે.