કાળા મરીમાં એન્ટીબેક્ટિરયલ એેન્ટીઓક્સિડેન્ટ અને એન્ટીઇન્ફ્લામેટરી ગુણો હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધિ માનવામાં આવે છે. સદીઓથી કાળા મરીનો ઉપયોગ દવાઓ અને ઔષધિઓ બનાવવા માટે કરવામાં આવે છે. કાળા મરી તો ગુણોનો ખજાનો કહેવાય છે. તેમાંથી મેગ્નીઝ પોટેશિયમ આયર્ન ડાયટરી ફાયબર વિટામિન C જેવા ન્યૂટ્રિ્અન્ટ્સ સારા પ્રમાણમાં મળી રહે છે. જેથી આજે અમે તમને આ મસાલાનો રોજ ઉપયોગ કરવાથી મળતાં ગજબના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે જણાવીશું. જે જાણ્યા બાદ તમે પણ તેનો ઉપયોગ કરતાં થઈ જશો.
કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
કાળા મરીમાં એન્ટીઇન્ફલામેટરી ગુણ હોય છે જેનાથી સાંધાના દુખાવાના પ્રોબ્લેમ દૂર થાય છે.
કાળા મરીમાંથી પ્રોટીન મળી રહે છે જે મસલ્સને મજબૂત રાખવામાં મદદ કરે છે.
રોજની ડાયટમાં કાળા મરી ખાવાથી તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટને કારણે શરીરની નબળાઇ દૂર થાય છે.
કાળા મરીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
કાળા મરીમાં પેપરીન હોય છે જે મેટાબોલિઝમને વધારે છે જેનાથી બોડીમાં ફેટ જલ્દીથી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
કાળા મરીમાં હાઇડ્રોક્લોરિક એસિડની માત્રા વધુ હોય છે. જેનાથી ડાઇજેશન ઇમ્પ્રૂવ થાય છે અને કબજિયાતની પ્રોબ્લેમ દૂર થાય છે.
કાળા મરીને એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કિન પ્રોબ્લેમ્સથી બચાવે છે
કાળા મરીથી બોડીમાં સેરેટોનિન હોર્મોનનું લેવલ વધે છે જેનાથી ડિપ્રેશનનો પ્રોબ્લેમ દૂર થાય છે.