ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એમની પૂજામાં બિલીપત્રનો ઉપયોગનું મહત્વ તમામ લોકો જાણે છે પણ તમે જાણો છો કે બિલીનો છોડવાને ઘરમાં લગાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. છોડવો મોટો થાય ત્યારે મંદિરમાં દાન કરી દેવો અને તેની જગ્યાએ બીજો છોડ રોપવો.
ઘરમાં બિલીનુ વૃક્ષ લગાવવાથી ફાયદાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જે મુજબ ઘરમાં જે સ્થાને આ છોડ અને વૃક્ષ લગાવેલો છે તે સ્થળ કાશી તીર્થની જેમ પવિત્ર અને પૂજનીય સ્થળ હોય છે આવી જગ્યા કે ઘર તમામ પ્રકારના તંત્ર બાધાઓથી મુક્ત થાય છે.
અહીં રહેવાવાળા લોકો પર ક્યારેય ચંદ્રમાંની ખરાબ દશા નહીં આવે દરેક સભ્ય યશસ્વી બને છે અને આખો પરિવાર સમાજમાં ઉચ્ચ સમ્માન મેળવે છે. ઘરની વિવિધ દિશામાં બિલીનો છોડવો હોવાથી અનેક ફયાદા થતા હોય છે.
ઘરની ઉત્તમ-પશ્ચિમ દિશામાં બિલીનો છોડ રોપેલો હશે તો તેવા ઘરના સભ્યોની યશસ્વી વધુ તેજવાન બને છે. આ માટે સમ્માન અને પ્રસિદ્ઘિ મેળવવા માટે છોડવાને ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવો.
ઘરની ઉત્તર-દક્ષિણ દિશામાં બિલીનો રોપો લગાવવાથી આર્થિક સંપન્નતા પ્રાપ્ત થતી હોય છે. આવા પરિવારના દરેક વ્યકિતને ધનવાન બનાવે છે અને તેમને ક્યારેય ધનની અછત પડતી નથી હોતી. દેવામાંથી મુક્તિ માટે આ દિશામાં બિલીનો છોડ લગાવવો જોઇએ.
તમામ પ્રકારનું ખુશી મેળવવા માટે ઘરની વચ્ચે બિલીનો છોડવો રોપવો જોઇએ. આવા ઘરમાં પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ-ભાવ રહે છે. એમના જીવનમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારના અચાનક દુખ શોક નથી આવતા.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં આંગણે બિલીનો છોડવો હોવાથી તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકશો. રોપોને નિયમિત રૂપ પાણી આપવું અને તેની સેવા કરવી પણ જે રીતે ઘરમાં તુલસીનો છોડવો રાખવો નિયમ છે એવી જ રીતે બિલીને છોડવા માટે પણ કેટલાક નિયમો પાળવા પડે છે. આવો આ નિયમ વિશે...
- હિંદી પંચાગ મુજબ કોઇપણ મહિનાની અષ્ટમી અમાસ પૂર્ણિમા તિથિ કે સોમવારના દિવસે બિલીપત્ર ન તોડવું જોઇએ. ઘણા ઓછો જાણે છે કે બિલીના પત્તા કે બિલીપત્રને શિવ પૂજામાં તમે એકથી વધુ વખત પણ ઉપયોગમાં લઇ શકાય છે.
- શિવને ચડાવેસા બિલી તમે ધોઇને ફરી ઉપયોગમાં લઇ શકો છો અને જ્યાં સુધી બિલીપત્ર ખરાબ ન થઇ જાય ત્યાં સુધી તમે આવું કરી શકો છો. બસ ધ્યાન રાખવું કે બિલીપત્ર સુકાયેલા ન હોય. તેથી જો તમે દરરોજ શિવપૂજા કરતા હોવ તો ઉપર જણાવેલી તિથિના એક દિવસે પહેલા બિલીપત્ર તોડી લેવા અને સોમવાર બિલીપત્ર બિલકુલ ન તોડવાં.
- કોઇપણ મહિનામાં દ્વાદશી રવિવારના દિવસે પડતી હોય તો સાંજના સમયે આ છોડવાની નીચે દીવો જરૂર પ્રગટાવવો. દીવો પ્રગટાવવી વખતે મનમાં તમારી મનોકામના બોલવી. આવું કરવાથી તમારી ઇચ્છા જલ્દી પૂરી થતી હોય છે સાથે જ આવું કરવાથી એ ઘરમાં ક્યારેય ધનની અછત પડતી નથી અને તમે જન્મોના મહાપાપોથી મુક્તિ મળે છે.