મોટાભાગના લોકો એનર્જી માટે કેળા ખાય છે પરંતુ જાપાની લોકો વજન ઘટાડવા માટે સવારની શરૂઆત નવશેકા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટ્સ મુજબ આ પ્રયોગથી વધારાની ચરબી ઝડપથી ઓછી થાય છે અને આ સાઈન્ટિફિક પ્રૂવ્ડ રીત છે. પણ આ કોમ્બિનેશનથી માત્ર વજન જ ઓછું થાય છે એવું નથી. તેના અન્ય પણ સુપર્બ હેલ્થ બેનિફિટ્સ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
આ કારણથી ઘટે છે ઝડપથી વજન
-એક્સપર્ટ મુજબ નવશેકું પાણી પીવાથી મેટાબોલિઝ્મ ઈમ્પ્રૂવ થાય છે. મેટાબોલિઝ્મ સારું હોવાથી ફેટ બર્નિંગ પાવર વધે છે. જેનાથી કમર પેટ અને આખા શરીરનું વજન ઉતરે છે.
-કેળા ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને ઓછું ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
-નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાઈજેશન એકદમ સારું રહે છે. તેનાથી પણ વજન ઘટે છે.
કઈ રીતે કરવો પ્રયોગ?
સવારે ઉઠતાં જ એક ગ્લાસ નવશેકું પાણી પીવો. પછી તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા ઓછી કે વધારી શકો છો) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ડાયટના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રયોગની શોધ હિતોશી અને સુમિકો નામના 2 જાપાનીઓએ કરી હતી. જેથી વજન ઓછું કરવા માટે જાપાનમાં આ સૌથી લોકપ્રિય રીત છે. એક્સપર્ટ્સ અનુસાર સવારે નવશેકું પાણી પીધાંના થોડીવાર બાદ કેળા ખાવાથી વજન ઓછું કરવાની સાથે અન્ય કેટલાક ખાસ સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે.
કેળામાં પોટેશિયમ કેલ્શિયમ વિટામિન C અને બીજા ન્યૂટ્રિ્અન્ટ્સ હોય છે જેથી નવશેકું પાણી પીધાં બાદ કેળું ખાવાથી કિડની ડિસીઝનો ખતરો ટળે છે.
નવશેકું પાણી પીધાં બાદ કેળું ખાવાથી પેટ સાફ આવે છે અને ડાઇઝેશન સુધરે છે. તેનાથી કબજિયાત ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ દૂર થાય છે.
નવશેકું પાણી બોડી ટોક્સિસન્સ બહાર નીકાળ છે અને કેળું ખાવાથી વિટામિન B6 અને C મળે છે. જેના કોમ્બિનેશન સ્કિનનો ગ્લો વધારવમાં મદદ કરે છે.
નવશેકું પાણી પીવાથી બ્લડ પ્યૂરીફાઇ થાય છે. સાથે કેળામાં રહેલા ડાયટરી ફાઇબર્સ બ્લડમાં હીમોગ્લોબિનનું લેવલ વધારે છે. જેથી એનિમિયાના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે.
રેગ્યુલર નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાંર રહે છે અને જેનાથી હાર્ટ દેલ્ધી અને હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.
નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન બોડીમાં સોડિયમ લેવલ બેલેન્સ કરે છે. જેનાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી બોડીની ઇમ્યૂનિટી વધે છે. તેનાથી ઇન્ફેક્શનનો ખતરો ટળે છે અને બિમારીઓ દૂર રહે છે.
આ કોમ્બિનેશન વાળને હેલ્ધી રાખે છે અને મૂળ મજબૂત કરે છે. જેથી વાળ ખરતાં અટકે છે અને ભરાવદાર અને લાંબા બને છે.