ઘણા લોકો મોઢાની દુર્ગંધથી બચવા માટે વિરયાળી ખાવાનું પસંદ કરે છે, મુખવાસ તરીકે પણ વિરયાળી ખાય છે.
વરિયાળીના ફાયદા અનેક
વરિયાળીનું પાણી પીવાથી મળશે રાહત
શરીર માટે ગુણકારી વરિયાળીનું પાણી
વરયાળી માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ કામ આવતી નથી, તેનો ઉપયોગ શરીરમાં ઊભી થયેલી સમસ્યાઓ દૂર કરવા પણ થાય છે.
વરયાળી આયુર્વેદિક ઔષધિ છે. જે મોટા ભાગનાં ઘરમાં જોવા મળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પીએ છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ઠંડું રહે છે અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. વરિયાળીનું પાણી બનાવવા માટે રાતે એક ગ્લાસમાં પાણી લઈ બે ચમચી વિરયાળી અને થોડી સાકર પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી જાઓ.
વજન ઘટાડવા ઉપયોગી
વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેથી વ્યક્તિને પેટ ભરેલું હોય તેવું લાગે છે. વરિયાળીમાં કેલરીનું પ્રમાણ નહીંવત્ હોય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વરિયાળી શરીરમાં ચરબીને એકઠી થવા દેતી નથી. પરિણામે સ્થૂળતાનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત વરિયાળીનું પાણી પીવાના કારણે ઝેરી તત્ત્વો પણ શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં ચયાપચનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. જે વજન ઓછું કરવામાં મદદરૂપ બને છે.
પેટની સમસ્યાથી છુટકારો
ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી પેટ અને શરીર ઠંડાં રહે છે. પેટની બીમારીમાંથી છુટકારો મળે છે. કબિજયાત અને પેટના દુખાવાથી રાહત મેળવવા પણ લોકો વરિયાળીનું પાણી પીએ છે.
કબજિયાત દૂર કરે
વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેનાથી પાચન સારું થાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વરિયાળીનું પાણી નિયમિત પીવાથી ગેસ અને એિસિડટીની સમસ્યા પણ દૂર થાય છે, જે લોકો અપચા અને કબજિયાતથી પીડાતા હોય તેમણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને લિવર સ્વસ્થ રહે છે.
આંખો માટે અસરકારક
વિરયાળીના કારણે આંખોનું વિઝન સારું થાય છે. જો તમે રોજ વરિયાળીનું પાણી પીઓ તો આંખો તંદુરસ્ત રહે છે અને તેમાં ઇન્ફેક્શન લાગતું નથી.
યાદશક્તિ વધારે
યાદશક્તિ વધારવા માટે પણ વરિયાળીનું સેવન લાભદાયક રહે છે. તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ.