શિયાળામાં સૌથી વધુ મળતાં આમળાંમાં અનેક ગુણોનો ભંડાર છે આથી જ તેને અમૃતફળ કહેવામાં આવે છે. આમળાંને હળદર-મીઠાવાળા પાણીમાં આથીને, ગળ્યા-ખારા બંને રીતે સુકવણી કરીને, આમળાંનો મુરબ્બો, આમળાંનું શરબત, આમળાંનું ચ્યવનપ્રાશ, આમળાંની ચટણી, આમળાંનું અથાણું વગેરે બનાવી ખાઈ શકાય છે.
આમળાના સેવનથી થશે અઢળક ફાયદા
શિયાળામાં આમળા ખાવાથી આરોગ્યને લાભ
સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે આમળા જરૂરી
આમળાંનાં પાણીથી વાળ ધોવાથી વાળની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. આમળાંનું ચૂર્ણ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. સ્વસ્થ, લાંબું જીવન જીવવું હોય તો આમળાંનો ઉપયોગ નિયમિત વિવિધ કરવો જોઈએ. આમળાંનો રસ પીવાના શોખીનો પણ વધી રહ્યા છે.
આમળાં પ્રાકૃતિક રસાયણ
શરીરની તંદુરસ્તી ત્યારે જ જળવાય જ્યારે ચયાપચયની પ્રક્રિયા યોગ્ય રીતે થતી હોય. શરીરને નીરોગી રાખવું હોય તો પાચનક્રિયા તંદુરસ્ત રાખવી જ જોઈએ. આમળાંના રસમાં ગોળ ભેળવીને પીવાથી ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે. હિમોગ્લોબિનની માત્રા વધે છે. આયર્નની માત્રા પણ વધે છે.
શરદી-કફમાં રાહત
વિટામિન સીની માત્રા આમળાંમાં ભરપૂર છે. આમળાંનો ઉપયોગ કોરોનાકાળમાં કાઢો બનાવીને પીવામાં પણ કરી શકાય છે. આદું, તુલસીનાં પાન, આમળાંને ખમણીને બે ગ્લાસ પાણીમાં ભેળવીને ઉકાળ્યા બાદ તેમાં મધ ભેળવીને પીવાથી શરદી-કફમાં રાહત થાય છે.
આમળાં વાળને મજબૂત બનાવે
કાળા-જાડા ભરાવદાર વાળ પ્રત્યેક વ્યક્તિને ગમતા હોય છે. વારંવાર શેમ્પૂ, જેલનો ઉપયોગ વાળને અકારણ સફેદ બનાવી દે છે. ક્યારેક વાળ પાતળા, શુષ્ક પણ બની જતા હોય છે. આમળાંનો ઉપયોગ આહારમાં કરીને તથા આમળાંને ઉકાળીને તેના પાણીથી વાળ ધોવાથી ઘટાદાર, લાંબા, કાળા તથા મજબૂત બને છે.
આંખોની રોશની વધારે
આમળાંમાં કેરોટિનની માત્રા ભરપૂર છે. આમળાંનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. આમળાંનો ઉપયોગ નિયમિત કરવાથી આંખોની આસપાસની નસોનું પ્રેશર ઘટે છે. આંખનું તેજ વધે છે.
આમળાંનો જ્યૂસ
શરીરના સાંધાના દુખાવામાં પણ આમળાંનો રસ પીવાથી ફાયદો થાય છે.