આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપાય.
સ્વાસ્થ્ય માટેની શ્રેષ્ઠ ઔષધી છે આદુનો રસ
તેના ઉપાયો કરશો તો બીમારીઓ રહેશે દૂર
અનેક તકલીફોમાં રામબાણ છે આ ઔષધી
આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે અને ઝડપથી અસર કરે છે. સાથે જ આદુના રસમાં મધ અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પ્રયોગ કરવાથી શ્વસન, યૂરિન, સોજા, બોડી પેઈન, કફ વગેરે જેવી તકલીફોમાં ફાયદો થાય છે.
આદુના રસના કારગર ઉપાયો
આદુનો રસ અને કપૂર- આદુના રસમાં કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપને દુખાવાવાળા ભાગે લગાવો. તરત આરામ મળશે.