ગોલગપ્પા, પાણીપુરી, ફુલ્કી અથવા પછી પુચકાનું નામ તો તમે સાંભળ્યું હશે. આ નામ સાંભળી દરેક વ્યક્તિના મોંઢામાં પાણી આવી જાય છે. જો આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો સૌથી વધારે ખાવામાં આવતી પાણીપુરી છે અને તે દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. લોકો પાણીપુરી ખાવાનું પસંદ પણ કરે છે.
તમે પાણીપુરી ખાવાના શોખીન છો ?
પાણીપુરી ખાતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો
પાણીપુરી ખાવાથી થાય છે આ લાભ
પાણીપુરીના ખાટ્ટા-મીઠા પાણીની સુગંધથી દરેક વ્યક્તિના મોંઢામાં પાણી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એકબાજુ પાણીપુરી ખાવાના ઘણાં ફાયદા થાય છે અને સાથે તેનાથી નુકસાન થાય છે. ખરેખર, પાણીપુરી દરેક શેરીમાં મળી જાય છે. દરેક શેરીમાં સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પૂર્વક પાણીપુરી બનાવેલી હોય તેવુ શક્ય નથી. જેના કારણે ઘણી વખત પાણીપુરી આપણા આરોગ્યને નુકસાન પહોંચાડે છે. તેથી આજે અમે પાણીપુરી ખાવાના ફાયદા અને નુકસાન અંગે જણાવીશું.
પાણીપુરી ખાવાના ફાયદા
વજન ઓછું થાય છે
તમે ચોંકી ગયા ને. પરંતુ આ વાત સાચી છે. તમને ખબર હશે કે પાણીપુરીમાં ધાણા, ફૂદીનાની ચટણી અને કાચી કેરી હોય છે અને આ સાથે હીંગની મીઠી સુગંધ આવવાથી પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે. ફક્ત હીંગ, ઈમલી જ કેમ બીજા અન્ય મસાલા પણ નાખવામાં આવે છે. આ પેટને સારું રાખે છે અને તમારા વજનને વધતુ અટકાવે છે. આ સિવાય જો તમે લોટના બદલે સોજીની પાણીપુરી ખાવો તો વધુ સારુ રહે. કારણકે તે પ્રમાણમાં હલ્કી હોય.
મોંઢામાં ચાંદા પડ્યા હશે તો આપશે રાહત
જનરલ ફીઝીશિયન તબીબ મુજબ, પાણીપુરીના પાણીમાં જલજીરા, ઈમલી અને ફૂદીના હોય છે. આ રીતે તીખુ-ખાટુ ખાવાથી પેટમાં ગડબડ થતી નથી. મોંઢામાં પડેલા ચાંદાનુ પાણી પણ નિકળી જાય છે. ત્યારબાદ જીભમાં પડેલા ચાંદા સુકાઈ જાય છે. પરંતુ જો વધારે પાણીપુરી ખાશો અને તેનુ પાણી પીશો તો પાણીમાં કેમિકલ હોવાથી ચાંદા વધી પણ શકે છે. ઘણી વખત પ્રવાસ વધારે કરવાથી તમારો મૂડ ઓફ થઇ જાય છે. એવામાં ત્રણ-ચાર પાણીપુરી ખાવાથી મોંઢુ ચોખ્ખુ થઇ જાય છે અને એસિડિટીમાં પણ આરામ મળે છે.
મૂડ ફ્રેશ રાખે છે પાણીપુરી
ઘણી વખત ગરમીની સિઝનમાં લોકો ગભરાઈ જાય છે અને અવાર-નવાર લોકો ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે. એવામાં જો તમે પાણીપુરી ખાશો અને ત્યારબાદ પાણી પીશો તો તમારો મૂડ સારો થઇ જશે અને તરસ પણ ઓછી લાગે છે.
પાણીપુરી ખાવાથી નુકસાન
ડાયેરિયા
ડિહાઈડ્રેશન
ઉલ્ટી, ઝાડા, કમળો
અલ્સર
પાચન ક્રિયામાં ગડબડ
પેટમાં હળવો અથવા તીવ્ર દુ:ખાવો
આંતરડામાં સોઝો
પાણીપુરી ખાવાથી બ્લડ પ્રેશરની પણ ફરિયાદ રહે છે. પાણીપુરીના પાણીમાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. બીજી તરફ પાણીપુરીને તળવા માટે ઘણી વખત વપરાયેલા તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે.