પહેલાના સમયથી જ પેટની માલિસનો પ્રયોગ થતો આવ્યો છે. જોકે આજે માલિશના ચમત્કારિક ગુણોથી મોટાભાગના અજાણ છે. પેટની માલિશ એ સારા સ્વાસ્થ્ય માટે અકસીર છે. તેથી આપ શારીરિક અને માનસિક રૂપે ફિટ રહેશો. પેટની માલિશને તમે નિયમિત રૂપે કરી શકો છો. પેટની માલિશ કરવાથી દુખાવો અને તણાવમાં રાહત મળે છે.
અહીં જાણીએ કે પેટની માલિશ કરવો કેટલો ફાયદાકારક છે.
પીઠ તરફ લાંબા સુઇ હાથોમાં થોડું તેલ લો અને ત્રણ મિનિટ સુધી માલિશ કરતા રહો. તેની ગરમીને અનુભવો અને આપના મગજને એકદમ શાંત કરી સંપૂર્ણ ધ્યાન માલિશમાં લગાવવું.
નર્સિંગ રિસર્ચ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ પેટની માલિશ કબજિયાત અને પેટના દર્દને દૂર કરે છે. નિયમિત રૂપે પેટની માલિશ કરવાથી પેટની માંસપેશિયા પૂર્ણ રીતે ટોન્ડ થઇ જાય છે. તથા વર્તમાન કબજિયાત દૂર થઇ જાય છે.
પેટની માલિશ વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે. નિયમિત રૂપે કરવામાં આવતી પેટની માલિશ ચયાપચયની વધુ સારી બનાવે છે. જેથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. ઉપરાતં પેટ સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો પેટની માલિશ તમારા માટે ઘણી લાભકારી બની શકે છે.
પેટની માલિશ કરવાથી પેટનો ગેસ આરામથી નીકળી જાય છે અને અપચો નથી થતો. નિયમિત રૂપે ત્રણ મિનિટ સુધી કરવામાં આવતી માલિશ પેટ સંબંધિત ઘણી બીમારીઓથી છુટકારો આપે છે. જો પેટમાં દુખાવો હોય તો માલિશ કરવાથી એ જગ્યાએ લોહીનું પરિભ્રમણ વધી જાય છે. પેટની માલિશ લિવર સહિત તમારા ઘણા આંતરીક અંગોને રાહત પહોંચાડે છે.