ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસને ખુલાસો કર્યો છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચમાં બેન સ્ટોક્સે એમ્પાયરોની ટીમને સ્કોરથી ઓવરથ્રોના 4 રન હટાવવા માટે કહ્યુ હતુ.
તમને જણાવી દઇએ કે કે ઓવરથ્રોને કારણે 4 રનના છેલ્લે નિર્ણાયક સાબિત થયા. ફાઇનલ મેચમાં અંતિમ ઓવરમાં 242 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ઇંગ્લેન્ડના બેટ્સેમેનને 2 રન દોડીને લીધા હતા અને જ્યારે બીજો રન લેતા સમયે માર્ટિન ગપ્ટિલે થ્રો સ્ટોક્સના બેટથી અડીને બાઉન્ડ્રી પર ગયો જેના કારણે ઇંગ્લેન્ડના ખાતામાં 4 રન વધારે આવી ગયા.
ગ્રાઉન્ડ એમ્પાયર કુમાર ધર્મસેનાએ પોતાના સાથી એમ્પાયરોની સાથે વાત કરતા 6 રન આપી દીધા, જેથી ઇંગ્લેન્ડને ઘણો સહારો મળ્યો. જોકે કેટલાક નિષ્ણાતો અનુસાર, 5 રન આપવા જોઇતા હતા. એવી સ્થિતિમાં ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હોત જેણે 8 વિકેટના નુકસાન પર 241 રન કર્યા હતા. ટેસ્ટ ટીમમાં સ્ટોક્સની સાથી એન્ડરસને કહ્યુ કે, આ ઑલરાઉન્ડરે ઓવરથ્રોની પછી હાથ ઉપર કરીને માફી માંગી લીધી હતી અને એમ્પાયરોને અપીલ કરીને તેઓ પોતાનો નિર્ણય બદલી લે.
એન્ડરસને કહ્યુ કે, ''ક્રિકેટમાં શિષ્ટાચાર પણ હોય છે. જો બૉલ સ્ટમ્પની તરફ ફેંકવામાં આવી અને તમને વાગે અથવા તો ગેપમાંથી ચાલી જતી તો તમે રન ના લઇ શકો, પરંતુ જો બાઉન્ડ્રી પર જાય તો નિયમ અનુસાર, આ 4 રન હોવા જોઇએ અને આ મામલામાં કંઇ ના કરી શકાય.'' એન્ડરસને કહ્યુ કે, ''મને લાગે છે કે માઇકલ વૉનથી વાત કર્યા પછી, જેમણે સ્ટોક્સ સાથે મેચ પછી મુલાકાત કરી હતી, સ્ટોક્સ મેચના સમયે એમ્પાયર પાસે ગયો હતો અને કહ્યુ હતુ કે આ 4 રન લઇ લો, અમને જરૂર નથી.'' એન્ડરસને કહ્યુ કે, ''આ નિયમ છે અને આ જ રીતે થાય.''
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
પાંચ વખત ICC અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂકેલા સાઇમન ટોફેલે આ નિર્ણયનો ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું, ''મેચની બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં ઓવરથ્રોથી ઇંગ્લન્ડને મળેલા 6 રન ખોટા હતા. ICC નિયમ અનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇતા હતા. કારણ કે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતા કર્યા. ઓવરથ્રોથી ઇંગ્લેન્ડને મળેલા 6 રન ખોટા હતા. ICC નિયમાનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇએ કારણકે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતુ કર્યું.