મહારાષ્ટ્રની ચૂંટણી પર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આપતા જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષોની આંખ ઉઘાડનારો જનાદેશ છે અને હવે આગામી 5 વર્ષ સુધી જવાબદારીથી કામ કરવું પડશે.
મહારાષ્ટ્ર ચૂંટણી પર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
મહારાષ્ટ્રની જનતાનો આભાર
રાષ્ટ્રીય પક્ષોની આંખ ઉઘાડનારો જનાદેશ
આ સાથે ઉદ્ધવ ઠાકરેએ આ સાથે જ ભાજપને મંત્રીમંડળમાં 50-50 ટકાનો ફોર્મુલા અપનાવવી પડશે તેવો પણ ઉલ્લેખ ખર્યો હતો અને આડકતરી રીતે ભાજપને સમજૂતિ યાદ કરાવી હતી. પોતાના દિકરા આદિત્ય ઠાકરેને લઇને તેમણે જણાવ્યું હતું કે, આદિત્ય પર અભિમાન છે.
ભાજપ જાદુઇ આંકડાથી રહી દૂર
Shiv Sena chief Uddhav Thackeray: The 50-50 formula was decided. Discussions should be held and then it should be decided that who would be the Chief Minister (of Maharashtra). pic.twitter.com/YuSvKDZfhe
મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત મળતા દેખાઇ રહ્યા છે, જ્યારે હરિયાણામાં તેઓ જાદુઇ નંબરથી દૂર રહી ગઇ છે.
મુખ્યમંત્રી બનાવવા માટે ઉઠી માગ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિકરા માટે પોતાની વિધાનસભા બેઠક વર્લી છોડનાર શિવસેના ધારાસભ્ય સુશીલ શિંદેએ ચૂંટણીના પરિણામોને ધ્યાને રાખીને મોટું નિવેદન આપ્યું હતું. સુશીલ શિંદે દ્વારા માગ ઉઠાવવામાં આવી છે કે, આદિત્ય ઠાકરેનો મુખ્યમંત્રી બનાવવામાં આવે, કારણ કે તેવું પ્રજા ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, ચૂંટણી પહેલા શિવસેના દ્વારા મહત્વના પદ માટે માગ ઉઠી હતી.
2014 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપને 122 બેઠક અને શિવસેનાને 63 બેઠક પર જીત મળી હતી. જેને લઇને ભાજપને શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી પડી હતી.
50-50 ફોર્મ્યુલાથી થશે કામ
વિધાનસભા ચૂંટણીનું અનુમાન મુજબ પરિણામ ન આવતાં શિવસેના ચૂંટણી પહેલા આપવામાં આવેલા 50-50 ફોર્મ્યુલાને યાદ અપાવી રહ્યું છે. જેને જોઇને લાગી રહ્યું છે કે ચૂંટણી પરિણામ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળશે. આમ શિવસેના સાથે ગઠબંધન પર પ્રચંડ બહુમતની આશા વચ્ચે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.