લદ્દાખમાં ચીન સાથે ચાલતા તણાવને લઈને રોજબરોજ નવો વિવાદ ઉભો થઈ રહ્યો છે. ભારત અને ચીન વાર્તાલાપ કરી રહ્યા છે પરંતુ કોઈ સમાધાન આવી રહ્યું નથી. ત્યારે LAC પાસે ભારત અને ચીનના સૈન્યએ અલગ અલગ ત્રણ વિસ્તારમાં પીછેહઠ કરી છે. હવે બંને દેશ પીછેહઠ કરતા મહિનથી ચાલતા તણાવનો અંત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ ચીનનું હૃદય પરિવર્તન એમ જ નથી થયું. ભારતની રણનીતિએ તેને પાછીપાની કરવા મજબૂર કર્યા છે. સૌથી પહેલા તો ચીનને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેને સમજમાં આવ્યું કે તેના તરફથી અચાનક સૈનિકો ખડકી દેવાથી ભારત સેજ પણ દબાણમાં ન આવ્યું.
NSA અજીત ડોભાલે દખલગીરી કર્યા બાદ ચીને પીછે હઠ કરી
ચીનની સેનાએ બોર્ડર વિસ્તારમાં પાછીપાની કરી
ભારતીય સેનાએ પણ પોતાના વાહનોનો કાફલો પાછળ બોલાવ્યો
5 અને 6 મેના રોજ પૂર્વ લદ્દાખમાં થયેલ અથડામણ બાદ ચીની સૈનિકોએ LAC પર પોતાનો કાફલો વધારવાનો શરૂ કરી દીધો. તેને લાગ્યું કે બહુ ઝડપથી મોટી સંખ્યામાં LAC (Line of Actual Control) તરફ આવતા ચીની સૈનિકોને જોઇ ભારતીય સૈનિકો ડરી જશે અને દબાણમાં આવીને પાછળ હટી જશે. પરંતુ, એવું ન થયું અને ભારતે તરત ચીન કરતા વધુ સંખ્યામાં સૈનિકો LAC પર તૈનાત કરી દીધા. જોકે સેન્ય મામલાઓના જાણકાર નિતિન ગોખલેનો દાવો છે કે બન્ને તરફના સૈનિકોમાં કોઇએ LAC ક્રોસ નથી કરી. મહત્વનું છે કે, બોર્ડર પરથી ચીનના સૈનિકો હટતા નહોતા પરંતુ NSA અજીત ડોભાલે દખલગીરી કર્યા બાદ ચીને પીછે હઠ કરી હતી.
NSA ડોભાલે વાત કરી અને સહમતી બની
ગોખલેએ જણાવ્યું કે, 8 મેના રોજ જ્યારે ચીને પોતાના વિસ્તારમાં સૈનિકો અને યુદ્ધ સામગ્રીઓનો જમાવડો શરૂ કર્યો તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ચીનના વિશેષ પ્રતિનિધિ યાંગ જીચી સાથે વાત કરી અને બન્નેએ પોતપોતાના સૈનિકોના માહોલમાં શાંતિ લાવવાના આદેશ આપવા પર સહમતિ દર્શાવી. ડોભાલના આદેશ પર ભારતીય સૈનિકોનો જમાવડો ત્યા સુધી રોકાયો જ્યાં સુધી કે ફિંગર 4 અને ફિંગર 8 નજીક ચીની સૈનિકોની સંખ્યા ઓછી ના થઇ.
ભારતે પોતાના સર્વિલાંસ સિસ્ટમ દ્વારા ચીની ગતિવિધિઓ પર નજરી બનાવી રાખી. ત્યારે જાણ થઇ કે 50-60ની સંખ્યામાં ચીની સૈનિકો પીપી 14 અને પીપી 15 પર પહોંચવા લાગ્યા તો ભારતે પણ 70-80 સૈનિકો બોર્ડર પર મોકલી દીધા. આ પ્રકારે ભીજા વિસ્તારમાં ચીનની બરાબરીના સૈનિકો, યુદ્ધ સામગ્રી અને ભારે વાહનોની તૈનાતી થઇ રહી.
બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક
દબાણની રણનીતિ કામ ન આવતા ચીન વાતચીતના રસ્તે આગળ વધ્યું. લોકલ લેવલ પર ઓછામાં ઓછી 12 મીટિંગ બાદ 6 જૂને જ્યારે લેફ્ટિનેન્ટ જનરલ લેવલની મીટિંગ થઇ તો ભારતે સ્પષ્ટ કરી દીધું કે બન્ને દેશો પોતપોતાના વિસ્તારોમાં જે સૈનિકો, યુદ્ધ સામગ્રી અને વાહન ખડકી રાખ્યા છે, તેને દૂર કરવા પડશે. ભારતે કહ્યું કે, ચીને જમાવડો શરૂ કર્યો હતો એટલે પહેલ તેને કરવી પડશે.
6 કલાકની મીટિંગમાં 5 મહત્વના મુદ્દાઓ પરત વાતચીત
6 જૂને લદ્દાખના મોલ્ડોમાં ભારત અને ચીનની સેનાના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારત તરફથી લે. જનરલ હરિંદર સિંહે આગેવાની કરી હતી. તો ચીન તરફથી સાઉથ ચિનચિનયાન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના મેજર જનરલ લિયુ લિનના નેતૃત્વમાં બન્ને દેશોનું પ્રતિનિધિમંડળ ચીની ક્ષેત્ર મૉલડોમાં મળ્યું. 11:30 વાગ્યે શરૂ થયેલી વાતચીત 6 કલાક સુધી ચાલી.
ગોખલેના જણાવ્યા અનુસાર, પહેલા અડથા કલાક સુધી સિંહ અને લિને વાતચીત કરી અને બાદમાં બે કલાક સુધી ડેલિગેશન લેવલની મીટિંગ થઇ જેવામાં ભારત તરફથી 10થી 15 સેન્ય અધિકારી હતા અને એઠલા સેન્ય અધિકારી ચીન તરફથી પણ હતા. બાદમાં લંચ થયું અને લંચ બાદ પણ મીટિંગ થઇ.
ગોખલેએ જણાવ્યું કે આ વતાચીતમાં 5 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ. જેમાં લદ્દાખના ચાર વિસ્તારો ફિંગર 4, પેટ્રોલિંગ પોઇન્ટ 14, પેટ્રોલિંગ પોઇન્ટ 15, પેટ્રોલિંગ પોઇન્ટ 17Aથી બન્ને તરફ સૈનિકોની સંખ્યા ઘટાડવા અને પોતપોતાના વિસ્તારોમાં કરવામાં આવેલ તૈનાતીને ધીરે ધીરે ઓછી કરવાનું સામેલ છે. બન્ને તરફથી LCથી 20-30 કિમી દૂર પોતપોતાના વિસ્તારોમાં સૈનિકો અને વાહનોનો જમાવડો કરવામાં આવ્યો છે.
હવે ફિંગર 4 પર મામલો ગુંચવાયો છે
ગોખલેએ કહ્યું કે, પેટ્રોલિંગ પોઇન્ટ 14, પેટ્રોલિંગ પોઇન્ટ 15, પેટ્રોલિંગ પોઇન્ટ 17Aના મુદ્દા સિંગલ અથવા ડબલ સ્ટાર લેવલ મિલિટ્રી ઓફિસર્સની મીટિંગમાં ઉકેલવામાં આવશે. આની ઘણી આશા છે. જોકે, પેંગોંગ ત્સો લેકમાં ફિંગર 4 એરિયા પર કાયમી વિવાદને પૂર્ણ કરવા માટે ઉચ્ચસ્તરીય અધિકારીઓની વાતચીતની જરૂર પડશે. આના માટે ફરીથી લેફ્ટિનેન્ટ જનરલ લેવલની વાતચીત થઇ શકે છે.