ફાઈઝર INC અને બાયોનટેક આ બે કંપનીઓએ આજે જાહેર કર્યું છે કે તેમની વેક્સિન વ્યક્તિને કોરોના સામે 90% ઇમ્યુનિટી આપવામાં સફળ રહી છે. આ રસીના પોઝિટિવ ડેટા મળી રહ્યા છે. તેની સફળતા પાછળ એક દંપત્તીની અપ્રત્યાશિત મહેનત છે. જેમણે કેન્સરની વિરુદ્ધ પ્રતિરક્ષા પ્રણાલીનો ઉપયોદ કરીને પોતાના જીવનને સમર્પિત કર્યું છે.
ઓજેસ તુએરેસી તુર્કીના એક ચિકિત્સકની દીકરી છે
ઉગુર એક ફોર્ડ કારખાનામાં કામ કરી રહેલા એક તુર્કી અપ્રવાસીના દીકરા
ઉગુર જર્મનીના સૌથી 100 ધનિક લોકોની યાદીમાં સામેલ છે
કંપનીએ કહ્યું કે આ વિજ્ઞાન અને માનવતા માટે મહાન દિવસ છે. કંપની આ મહિનાના અંક સુધી રસીના ઉપયોગની પરવાનગી મેળવવા માટે તાત્કાલીક અરજી કરશે.
આ સફળતા પાછળ આ પતિ -પત્નીની મહેનત
સાપ્તાહિક વેલ્ટ એએમ સોન્નટેગ અખબારના જણાવ્યાનુંસાર કોલોનમાં એક ફોર્ડ કારખાનામાં કામ કરી રહેલા એક તુર્કી અપ્રવાસીના દીકરા, બાયોનટેકના મુખ્ય કાર્યકારી અધિકારી ઉગુર સાહિન(55) અને તેમની પત્ની એવ બોર્ડના સભ્ય ઓજેસ તુએરેસી(53)નું આ રસી પાછળ ખુબ મોટો ફાળો છે. આજે ઉગુર જર્મનીના સૌથી 100 ધનિક લોકોની યાદીમાં સામેલ છે.
વેન્ચર કેપિટલ ફર્મ એમઆઈજી એજીના બોર્ડ મેમ્બર મૈથિયસ ક્રોમેયર જેમણે 2008માં બાયોનટેક કંપનીની સ્થાપના બાદ આર્થિત મદદ આપી અને કહ્યું કે પોતાની ઉપલબ્ધિઓ છતાં તેમનામાં ક્યારેય ફેરફાર નથી થયો. આજે પણ તે વિનમ્ર અને શાલીન છે.
ઓજેસ તુએરેસી તુર્કીના એક ચિકિત્સકની દીકરી છે. જે જર્મની ચાલી આવી હતી. એક મીડિયા ઈન્ટર્વ્યુમાં કહ્યું તે તેમના લગ્નના દિવસે બન્નેએ પ્રયોગશાળામાં કામ કરવાનો સમય કાઢ્યો હતો.
એક સાથે મળીને તેમણે પ્રતિરક્ષા પ્રણાલીને કેન્સરની વિરુદ્ધ લડાઈમાં સંભાવિત સહયોગીના રુપે સન્માનિત કર્યા અને પ્રત્યેક ટ્યૂમરને અદ્વિતીય આનુવંશિક મેકઅપ વિશે જાણવાનો પ્રયાસ કર્ય.
ઉલ્લેનીય છે કે કોરોનાની વેક્સિન mRNA પ્રકારની છે અને તેનું નામ BNT162b2 છે અને આ રસી જે વ્યક્તિઓને ક્યારેય કોરોના નથી થયો તેમને પણ સફળતાપૂર્વક 90% જેટલી ઇમ્યુનિટી આપી શકે છે. આ તારણ તેમના ફેઝ 3ના ક્લિકલ સ્ટડીમાં બહાર આવ્યું હતું જેમાં પહેલો એફીશ્યનસી એનાલિસિસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ નોંધ્યું કે રસી લેનારાઓને બાદમાં કોઈ આડઅસર આવી નથી. હવેના સ્ટેજમાં તેઓ US ઓથોરિટી પાસે મંજૂરી લેવાની યોજના બનાવે છે.
તેમણે વેક્સિનના પ્રોડક્શનના અંગે કહ્યું હતું કે તેઓ 2020 સુધીમાં 50 મિલિયન જેટલા ડોઝ બનાવી શકે છે અને 2021 સુધીમાં 1.3 અબજ જેટલા ડોઝ બનાવી શકે છે.આ સ્ટડી માટે 43,538 વોલન્ટિયર્સ લેવામાં આવ્યા હતા જેમાંથી 94 લોકોને કોરોનાનું સંક્રમણ હોવાનું માલૂમ પડ્યું હતું. આ રસી લીધા પછીના 28 દિવસમાં વ્યક્તિને 90% ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે. જો કે આ દવાના બે ડોઝ લેવા જરૂરી છે.