બિહારના બેગૂસરાયમાં ભાજપના નેતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. બિહારના બેગૂસરાયના સિંધોલના અમરૌર કીરતપુર ગામમાં આ હત્યાનો મામલો સામે આવ્યો છે. કીરતપુર ગામમાં ભાજપના નેતા અને પંચાયતના અધ્યક્ષ ગોપાલસિંહની હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લોખંડના રોડથી તેમની પિટાઈ કરી કરીને હત્યા કરી દેવામાં આવી છે. તો ઘટનાના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘરની બહાર કરાઇ હત્યા
આ મામલે મળતી જાણકારી મુજબ, બેગૂસરાયના સિંઘોલ થાણા ક્ષેત્રના અમરૌર કિરતપુરના રહેવાસી અને અમરૌર પંચાયતના પંચાયત અધ્યક્ષ ગોપાલ સિંહની આજરોજ સવારે પોતાના જ નિવાસસ્થાન બહાર હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને પગલે આસપાસના વાતાવરણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઘરની બહાર સૂતેલા ગોપાલસિંહને એકલા જોઇને સવારે 3 વાગ્યાની આસપાસ કેટલાક શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે, અચાનક થયેલ તેમના પર તિક્ષ્ણ હુમલાને પગલે તેમનું ત્યાં જ મોત થયું હતું.
થોડા દિવસ પહેલા અમેઠીમાં પણ હત્યા
યૂપીના અમેઠીમાં ભાજપના નેતા અને સ્મૃતિ ઈરાનીના નજીકના નેતા સુરેન્દ્ર સિંહની હત્યા કરી દેવામાં આવી છે. સુરેન્દ્ર સિંહની ગઈ રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો કે જ્યારે તેઓ પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, બાઈક પર આવેલા હુમલાખોરોએ સુરેન્દ્રસિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જે બાદ તેઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને લખનઉ લઈ જવા માટે રીફર કર્યા હતા.