નેશનલ લોકડાઉનને કારણે દેશના મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યં છે ત્યારે લોઅર મિડલ ક્લાસ અને દૈનિક મજૂરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો મજૂરો કોરોના સંકટમાં પોતાના વતન જવા નીકળી પડ્યાં છે. એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી અને તેમાં કામ કરનાર આર્ટિસ્ટોની પણ હાલત ખરાબ થઈ ગઈ છે અને તેઓ આર્થિક તંગીનો શિકાર બની રહ્યાં છે. જેના કારણે ઘણાં કલાકાર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપવીતી જણાવી રહ્યાં છે અને મદદ માંગી રહ્યાં છે.
લોકડાઉનને કારણે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના આર્ટિસ્ટોની હાલત કફોડી થઈ
આ ટીવી એક્ટરે સોશિયલ મીડિયા પર મદદ કરવાની કરી અપીલ
300-400 રૂપિયાની મદદ કરવા વિનંતી કરી રહ્યો છે એક્ટર
ત્યારે હવે ટીવી શો ‘બેગૂસરાય’માં એક્ટ્રેસ શિવાંગી જોશીના પિતાનો રોલ કરનાર એક્ટર રાજેશ ધરસને લોકડાઉનને કારણે ખૂબ જ પરેશાની થઈ રહી છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલાં રાજેશએ એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. જેમાં તે લોકોને આર્થિક મદદ કરવાની અપીલ કરી રહ્યો છે. લોકડાઉનને કારણે શોની શૂટિંગ બંધ થઈ ચૂકી છે અને 2 મહિનાથી ચાલી રહેલાં લોકડાઉનને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રાજેશએ લોકોને કહ્યું કે, બસ 300-400 રૂપિયા આપી દો જેથી હું મારા ઘરે પંજાબ પાછો જઈ શકું અને ત્યાં કોઈપણ કામ કરીને મારું ગુજરાન ચલાવી શકું.
રાજેશએ લોકોને મદદ કરવાની વિનંતીકરી
રાજેશએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું- જો હું શરમ રાખીશ તો જીવવાનું ભારે પડી જશે. બસ એટલું જ કહેવા માંગુ છું કે મને મદદની સખત જરરિયાત છે. મારી હાલત ખૂબ જ નાજુક છે. હું તમને બધાંને વિનંતીકરું છું કે, ભલે તમે 300, 400 રૂપિયા આપો. હું પંજાબ પરત ફરીશ. શૂટિંગ ક્યારે શરૂ થશે અને થશે કે કેમ તેની પણ મને જાણ નથી. મને કામ મળશે કે કેમ તે પણ ખબર નથી. મને કંઈ સમજાઈ રહ્યું નથી.
રાજેશએ આગળ કહ્યું-હું જીવવા માગું છું, હારવા નથી માગતો. હાથ જોડીને મારી વિનંતી છે કે, ભલે 300-400 રૂપિયા આપો, તેનાથી હું પંજાબ પાછો જઈ શકીશ. ત્યાં હું નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવી લઈશ. હું જીવવા માંગુ છું. રાજેશએ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેની બેંક ડિટેલ્સ અને ફોન નંબર પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ બેગૂસરાયનું પ્રસારણ વર્ષ 2015થી 2016ની વચ્ચે થયું હતું. આ શોમાં શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.