ઉનાળાની શરૂઆત ભલે મોડી થઈ પણ આકરા તેવર સાથે થઈ છે. ગરમીનો પારો જેમ જેમ ઊંચે ચડતો જાય છે તેમ તેમ રાજ્યોના જળાશયોના સ્તર નીચે આવતા જાયછે..તેવામાં કેનાલ આધારિત સિંચાઈ વ્યવસ્થા પર નભતા ખેડૂતો માટે કપરા દિવસો શરૂ થયા છે. કેમ કે, ઉનાળુ પાક માટે પાણી ન મળતાં ઉનાળું ખેતી નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. ત્યારે કેવી છે પંચમહાલ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ ખરેખર દયનીય છે.
નર્મદા: ઉનાળાની શરૂઆત ભલે મોડી થઈ પણ આકરા તેવર સાથે થઈ છે. ગરમીનો પારો જેમ જેમ ઊંચે ચડતો જાય છે તેમ તેમ રાજ્યોના જળાશયોના સ્તર નીચે આવતા જાયછે..તેવામાં કેનાલ આધારિત સિંચાઈ વ્યવસ્થા પર નભતા ખેડૂતો માટે કપરા દિવસો શરૂ થયા છે. કેમ કે, ઉનાળુ પાક માટે પાણી ન મળતાં ઉનાળું ખેતી નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. ત્યારે કેવી છે પંચમહાલ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ ખરેખર દયનીય છે.
પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારની ખેતી કેનાલ આધારિત સિંચાઈ પર આધાર રાખે છે. ત્યારે આ વખતે જિલ્લાના મુખ્ય જળાશયો કે જેમાંથી કેનાલ મારફતે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં હજુ પણ અંદાજિત 50ટકાથી ઓછું પાણી ભરેલું છે. આ જળાશયો માંથી કેનાલો દ્વારા કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી કાલોલ તાલુકાના પીંગળી ગામની આસપાસના વિસ્તારો કે જ્યાંથી પાનમ કેનાલ પસાર થાય છે. જેમાં છેલ્લા 30 વર્ષથી સિંચાઈના પાણી અંગે વિકટ પ્રશ્ન સર્જાયો છે. પાનમ જળાશય માંથી ઉનાળાની શરૂઆતમાં દર વખતે પાણી છોડવામાં તો આવે છે પરંતુ આ પાણી પાનમ જળાશયથી અંદાજિત 100 કિલોમીટર દૂર આવેલા કાલોલ તાલુકાના વિસ્તારોમાં પહોંચતું નથી.
કાલોલ તાલુકાના પીંગળી, સાગાના મુવાડા, રામપુર, કાનોડ જેવા ગ્રામ્યવિસ્તારોમાં પાનમ સિંચાઈનું પાણી ન પહોંચતું હોવાથી અહીં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ પાક નિષ્ફળ જાય છે. દર વખતે જયારે એક છેલ્લાપાણીની જરૂર હોય ત્યારે અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ સિંચાઈનું પાણી છોડવા માં આવતું નથી.
પીંગળી અને સાગાના મુવાડા સહીતના ગામોના ખેડૂતો ને પોતાનો પાક બચાવવા માટે હવે જયારે છેલ્લા એક પાણી ની જરૂર છે ત્યારે જ તે ન મળવાથી ખેડૂતોને પોતાનો ઉભો પાક લણી લેવાની ફરજ પડી છે. કેમકે પાક સાવ ખોટમાં જાય તે પહેલા પશુના ચારા માટે તો ઉપયોગમાં આવે!.
બાકી હાલતો મોંઘા ભાવના બિયારણ,ખાતર અને મજૂરી ચૂકવ્યા બાદ પણ પાણીના અભાવે મૃતઃપ્રાય અવસ્થામાં આવી ગયેલા ડાંગર,બાજરી, મકાઈ,જુવાર જેવા પાકો અકાળે લણી રહ્યા છે. જેનાથી તેઓને ખૂબ જ મોટો આર્થિક બોજો પડશે, કેમકે ખેડૂતોને અંદાજિત એક વીઘા જમીન દીઠ 25 હજાર જેટલો ખર્ચ માથે પડશે ત્યારે આ વિસ્તારની અંદાજિત 400 હેકટર જેટલી જમીનમાં આજ પ્રકારની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલા અન્ય ખેડૂતોને કેટલું આર્થિક નુકસાન સહન કરવું પડતું હશે હશે તેનો અંદાજ લગાવવો અઘરો છે.
આ વિસ્તાર ખેડૂતો એક રીતે જોઈએ તો દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિમાં છે કારણ કે અહીંથી માત્ર બે કિમી દૂર નર્મદાની મુખ્ય નહેર હોવા છતાં તેનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને મળતું નથી. પરંતુ હાલમાં જ્યાંથી કેનાલ મારફત સિંચાઈનું પાણી આપવામાં આવે છે તે પાનમ જળાશય આ વિસ્તારથી અંદાજિત 100 કિલોમીટર દૂર છે.
આ બાબતે અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે આ વિસ્તારના ખેડૂતો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવા નું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્ન હલ થાય છે કે નહીં.