સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પોતે જ ઘેરાઇ ગયા હતા. રાહુલ ગાંધીના ટ્વિટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કરતાં તેમનું અબ્દુલ્લા દિવાને નામ આપ્યું.
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને અબ્દુલ્લા દિવાને નામ આપ્યું
રાહુલ ગાંધી સરકારને ઘેરવાનો પ્રયત્નમાં પોતે જ ઘેરાઇ ગયા
સ્મૃતિ ઇરાનીએ લખ્યું કે આદરણીય બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હતા જેમણે સેનામાં મહિલાઓની સ્થાયી કમિશનની વાત કહી હતી. જેમાં લૈંગિક ન્યાય સુનિશ્ચિત કરવામાં આવી. તમારી સરકારમાં જ્યારે આ મુદ્દો ભાજપની મહિલા મોરચાએ ઉઠાવ્યો હતો. ટવિટ કરતાં પહેલા ટીમને કહો ચેક કરે.
आदरणीय बेगानी शादी में अब्दुल्ला दीवाने,
It was PM @narendramodi Ji who announced Permanent Commission for Women in Armed Forces, thereby ensuring gender justice & @BJPMahilaMorcha took up this issue when your Govt. twiddled its thumbs. Tweet से पहले टीम को बोलो check kare 🙏 https://t.co/DQhm3tRc0g
આ અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે સેનામાં બધી મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. જેના પર રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું, સરકારે સુપ્રીમાં એવી દલીલ કરી કે મહિલા આર્મી ઓફિસર કમાન્ડ પોસ્ટ અથવા સ્થાયી સર્વિસ યોગ્ય નથી કારણ કે પુરૂષોથી ઓછી છે. આવુ કરીને સરકારે બધી ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. હું ભારતની મહિલાઓને સમર્થન આપી ભાજપ સરકારને ખોટી સાબિત કરવા માટે શુભેચ્છા આપુ છું.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે 2010માં જ ભારતીય સેનાની મહિલાઓમાં સ્થાઇ કમિશન દેવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ તત્કાલિન યૂપીએ સરકારે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી હતી.
પોતાના નિવેદન પર જ ઘેરાયાં રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના આ નિવેદન પછી મહિલા સૈન્ય અધિકારીઓનો કેસ લડનારા વકીલ અને ભાજપ નેતા મીનાક્ષી લેખી અને હાઇકોર્ટ ના વરિષ્ઠ વકીલ નવદીપ સિંહે રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે કોર્ટનો નિર્ણય વિરુદ્ધ તત્કાલિન યૂપીએ સરકાર કોર્ટમા ગઇ હતી, ન કે ભાજપની સરકાર.
મીનાક્ષી લેખી બોલી- મેમોરી બટનને રિફ્રેશ કરો
ભાજપ નેતા મીનાક્ષી લેખીએ રાહુલ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મેમોરી બટનને રિફ્રેશ કરવું જોઇએ. આ કોંગ્રેસ સરકાર હતી જેમણે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ 2010માં સેનામાં મહિલાના સ્થાયી કમિશન વિરુદ્ધ વિરોધ કર્યો હતો.
નવદિપ સિંહે કહ્યું કે મહિલા અધિકારીઓને આ લાભ આપનાર દિલ્હી હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ અપીલ 2010માં દાખલ કરવામાં આવી હતી, જ્યારે વર્તમાન સરકાર સત્તામાં પણ નહોતી. એટલે મારુ માનવું છે કે આ પ્રકારના મુદ્દા અને ન્યાયિક નિર્ણયોનું રાજકારણ થવું ન જોઇએ.