RSSના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે ઓગસ્ટમાં ગુજરાત આવશે. હોસબોલે ગુજરાત-સૌરાષ્ટ્રના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિને લઇ ચર્ચા કરશે.
RSSના નેતાઓ આવશે ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત, દત્તાત્રેય હોસબોલે સહિતના નેતાઓ આવશે ગુજરાત
RSS વરિષ્ઠ નેતા નંદકુમાર 16 ઓગસ્ટના આવશે ગુજરાત
હોસબોલે 18-19 ઓગસ્ટના પ્રાંતીય ટીમ સાથે સંગઠનને મજબુત કરવા ગુજરાત આવશે. આગામી મહિને RSS વડા મોહન ભાગવત પણ ગુજરાત આવશે. મોહન ભાગવત 28 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. અને 29 સપ્ટેમ્બરના સુરતમાં વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે. મોહન ભાગવત પ્રાંતની ટીમો સાથે પણ બેઠક કરશે અને ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે પણ બેઠક કરશે.
ગુજરાતની પરિસ્થિતિનો મેળવશે તાગ
ભારતીય વિચાર મંચના સ્વાધીનતા કાર્યક્રમમા સામેલ થવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવત અને જનરલ સેક્રેટરી દ્તાત્રેય હોંસબોલે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાઓ ભલે કોઈ કાર્યક્રમના નેજા હેઠળ આવતા હોય, પરંતુ તાગ તો ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો પણ મેળવશે. રાજ્યમાં સંગઠન મજબૂત કરવા સાથે વિધાનસભા ચુંટણીમાં સંઘ કાર્યકર્તાઓની રણનીતિ અને સકારાત્મક પરિસ્થિતિ સામેના પરિબળો અંગે ચર્ચા કરશે. અને તે અંગે માર્ગદર્શન પણ આપશે.
સંઘ રાખી રહ્યું છે નજર
માર્ચ-2022 માં ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ ગોવા અને મણીપુરમાં તબક્કાવાર વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ યુપીમાં પણ નજર રાખી રહ્યો છે. પખવાડિયા પૂર્વે દિલ્હીમાં મળેલી એક બેઠકમાં સર્વાનુમતે ઠરાવાયું છે કે,યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ ભાજપાનો ચહેરો રહેશે. ઉપરાંત ચૂંટણીવાળા રાજ્યોમાં જ્યાં ભાજપાની સરકાર છે ત્યાં પણ ચહેરા બદલાવવાની કોઈ યોજના નથી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરી પાંચ રાજ્યોમાં જ્યાં ચૂંટણી છે તેવા વિસ્તારના જનપ્રતિનિધિઓને વધારે મહત્વ આપ્યું છે. તો ગુજરાતમાંથી પણ વિસ્તાર પ્રમાણે મનસુખ માન્ડવિયા ( સૌરાષ્ટ્ર ) ડો. મહેન્દ્ર મુંજપરા ( સુરેન્દ્રનગર ) દેવું સિંહ ચૌહાણ ( ખેડા ) શ્રીમતી દર્શના જરદોષ ( સુરત) અને પરસોત્તમ રૂપાલા ( સૌરાષ્ટ્ર )ને મહત્વના ખાતા સાથે ચૂંટણીલક્ષી જવાબદારીઓ પણ સોંપાઈ છે. આ જ અંતર્ગત,16 મી ઓગસ્ટથી ગુજરાતનાં આ કેન્દ્રીય મંત્રીઓનું પ્રવાસ માળખું ગોઠવાયું છે. જેઓ ઝોન પ્રમાણે જનસંવેદના યાત્રા કરી લોકો સાથે સંવાદ સાધશે. કેન્દ્ર સરકારે OBC માટે જએ માળખાની રચના કરી છે તેનાથી ઉત્તરપ્રદેશમાં પણ મોટો લાભ થવાની શકયાતા જોવાઈ રહી છે તો ગુજરાતમાં પણ સકારાત્મક પરિણામ માટે આ મુદ્દો પણ ચૂંટણીલક્ષી રહેશે.
વહેલા ચૂંટણી યોજાય તો નવાઈ નહીં
ટૂંકમાં, જે તૈયારીઓ થઈ રહી છે અને સંઘના ટોચના નેતાઓ જ્યારે ગુજરાતનું 'મન-કાર્યકરોની દૃષ્ટિએ' જાણવા આવે છે ત્યારે ,, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે આપેલા નિવેદનમાં,એ વાતની અટકળનો છેદ ઉડાડી દીધો હતો કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઇ શકે છે. જો કે,સંઘના વરિષ્ઠ નેતાઓના આગામી માસના રોજ ગુજરાત આવા-ગમનની વાતથી, ફરીથી ચૂંટણી અંગેની અટકળોને વેગ મળે તો નવાઈ નહીં રહે.