PM મોદીની અધ્યક્ષતામાં 24 જૂને દિલ્હીમાં જમ્મૂ કાશ્મીરના રાજકીય દળની સર્વદળીય બેઠક યોજાશે જેના કારણે રાજકારણ ગરમાયું છે. અહીં જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.
PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક
જમ્મૂ-કશ્મીરની પાર્ટીઓની બોલાવી બેઠક
કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા બાદ પ્રથમ બેઠક
બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે ગૃહમંત્રી
કોણ કોણ હાજર રહેશે બેઠકમાં
ગૃહમંત્રી અમિત શાહ, જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે. PM સાથે થનારી બેઠકને લઈને પાર્ટીઓને ઔપચારિક નિમંત્રણ મોકલાયા નથી પણ વધારે પુષ્ટિ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કરી હતી.
મહેબૂબા મુફ્તીના ચાચા સરતાજ મદનીને કરાયા મુક્ત
શુક્રવારે મોડી સાંજે અચાનક બેઠકની વાત સામે આવી તો ધ્યાન આવ્યું કે ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ નિયમિત રીતે પાર્ટી સુધી પહોંચીને આ દિશામાં કામ કરી રહ્યા છે. શનિવારે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના ચાચા સરતાજ મદનીને મુક્ત કરાયા હતા. મુફતી પાર્ટીની યુવા શાખાના પ્રમુખ વહીદ પારાની મુક્તિ માટે પણ ભાર આપી રહ્યા છે. જ્યારે પાર્ટીનું કહેવું છે કે તે બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય વરિષ્ઠ નેતાઓ સાથેની ચર્ચા બાદ કરશે. આ વાતનો સંકેત સ્પષ્ટ છે કે તે બેઠકમાં આવવા ઈચ્છે છે કેમકે તે દરેક નવી દિલ્હી સાથે રાજકીય જોડાણના પક્ષમાં છે.
બેઠકમાં આ મુદ્દે પણ થઈ શકે છે ચર્ચા
બેઠકને લઈને જે રીતની અટકળો રાખવામાં આવી રહી છે તે રીતે તેમાં પરિસીમાને લઈને ચર્ચા સૌથી ઉપર જોવા મળે છે. કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાને લઈને પણ ચર્ચા વેગ પકડી રહી છે. આ બાબતે કેટલાક નેતાઓનું કહેવું છે કે રાજ્યનો દરજ્જો આપવાની વાત કરવું ઉતાવળભર્યું રહેશે. બેઠક પહેલા પરિસીમા આયોગ કેન્દ્ર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશના 20 જિલ્લા આયુક્તને અનેક પ્રકારની જાણકારી માંગી છે. પરિસીમા આયોગન ફેબ્રુઆરી 2020માં બન્યું અને આ વર્ષે માર્ચમાં તેનો વિસ્તાર કરાયો હતો. વિધાનસભા અને સંસદીય ક્ષેત્રની સીમાઓને વિસ્તાર કરવાનું કામ પણ તેને સોંપાયું છે. અહીં ચૂટણી કરાવવી હશે તો પ્રક્રિયાને પૂરી કરવાનું જરૂરી રહેશે.
જમ્મૂ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા બાદ PM મોદીની આ પ્રથમ બેઠક છે. ગૃહમંત્રી અમિત શાહ, જમ્મૂ-કશ્મીરના ઉપ રાજ્યપાલ બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે. બેઠકને પગલે જમ્મૂ-કશ્મીરના રાજકીય પક્ષોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ સાથે જ શનિવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ જમ્મૂ-કશ્મીરના નેતાઓને આમંત્રણ આપ્યું છે. મળતી માહિતિ અનુસાર તેઓ આ માટે સર્વોચ્ચ નિર્ણય લેનારા વિભાગ સાથે વાતચીત કરશે. જેમને આમંત્રિત કરાયા છે તે મહેમાનોમાં ફારુક અબ્દુલ્લા, પીડીપીના મહેબૂબા મુફ્તી, જમ્મૂ કાશ્મીરની પાર્ટી, અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન સહિત 14 નેતાઓને બેઠકમાં સામેલ થવાનું કહેવાયું છે.