8-9 ડિસેમ્બરના રોજ ઇશા અંબાણીના લગ્ન માટે ઉદયપુરમાં અંબાણી પરિવાર પહોંચી ચૂક્યો છે. આ ઐતિહાસિક શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવાર તરફથી સાતથી દસ ડિસેમ્બર સુધી 5100 લોકોએ ત્રણ ટંકનું ભોજન આપવામાં આવશે. નોધનીંય છે કે ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના બધા કાર્યક્રમ આજે અને 9મી ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં થશે.
આ વિશેષ અન્ન સેવામાં મુકેશ અંબાણી નીતા અંબાણી અજય પીરામલ સ્વાતી પીરામલ ઉપરાંત ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ હાજર રહેશે. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને ભોજન ખવડાવ્યું અને તેમના હાલચાલ પણ પૂછશે. ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનના આ અન્ન સેવા આવતા ચાર દિવસો સુધી ચાલશે. જેમાં લોકોને ત્રણ ટંકનું ભોજન આપશે.
લગ્નના કાર્યક્રમો ઉપરાંત આ દરમિયાન ખાસ ‘સ્વદેશ બજાર’નું પણ પ્રદર્શન થશે. જેમાં શિલ્પ અને કલાનું પ્રદર્શન થશે. દેશભરના અલગ-અલગ ખૂણાથી આ કલાનું પ્રદર્શન કરવા માટે કલાકારો આવશે જેને માણવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવશે. આ ભારતીય કલાકારો અને તેમની કલાને પ્રદર્શન કરવા માટે એક શાનદાર પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી-નીતા અંબાણીની લાડલી દિકરી ઇશા અંબાણી આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના મુંબઇ સ્થિત ઘર એન્ટેલિયામાં લગ્ન કરશે.