લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યક્તિગત કારણોને આગળ ધરીને પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મોકલ્યું છે.
ગત અષાઢી બીજનાં દિવસે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયાં હતાં. આ પહેલાં તેઓ કોંગ્રેસનાં ધારાસભ્ય હતાં અને રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ અષાઢી બીજનાં રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતાં.
બાયડનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને રામ રામ કરી દીધાં હતાં. ત્યાર બાદ તેઓ અષાઢી બીજનાં રથયાત્રાનાં પર્વે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતાં.
એ વખતે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું હતું. ત્યારે તે સમય દરમ્યાન કમલમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેઓને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતાં.