Demolition in Junagadh: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરકોટમાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને 150 જેટલા પોલીસકર્મીઓ તૈનાત છે.
ઉપરકોટ કિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી
ગેરકાયદેસર દબાણો દૂર કરાશે
150 જેટલા પોલીસકર્મીઓ તૈનાત
દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશન બાદ હવે જૂનાગઢમાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં ગઈકાલે 18 જેટલા ધાર્મિક સ્થાનો અને અન્ય ગેરકાદેસર દબાણો દૂર કરાયા છે. SP, કમિશનર કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે. જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં ડિમોલિશનને કારણે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ધાર્મિક સ્થળોને નહીં તોડવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ ચુકાદા પહેલા જ ડિમોલિશન કરાતા લઘુમતી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉપરકોટમાં ડિમોલિશનની કાર્યવાહી
જૂનાગઢના ઉપરકોટમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિલ્લામાં રીનોવેશન બાદ કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મુકતા પહેલા તમામ દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઉપરકોટમાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને 150 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. ગઈકાલે રાત્રે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ 18 જેટલા ધાર્મિક સ્થાનો અને અન્ય ગેરકાયેદસર સ્થાનોને દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે ઉપરકોટનું કરાવ્યું છે રીસ્ટોરેશન
મોર્યકાળનો પ્રોચાની ઉપરકોટ કિલ્લો અનેક વિરાસતોથી ભરેલો છે, તેમા અનેક ધાર્મિક સ્થળોએ આકર્ષક જૂનવાણી ચીજ-વસ્તુઓ ધરબાયેલી છે, જેને વધુ ઉજાગર કરવા ગુજરાત સરકારે આ ઉપરકોટનું રીસ્ટોરેશન કરાવ્યું છે. જેની પાછળ 70 કરોડથી વધુનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાવામાં આવ્યો નથી.
કિલ્લો ખુલ્લો મુકતા પહેલા દબાણો દૂર કરાયા
કિલ્લો ખુલ્લો મુકતા પહેલા દબાણો દૂર કરવામા માટે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ ડિમોલિશન અટકાવવા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. હજુ સુધી હાઈકોર્ટનો કોઈ હુકમ થયેલ નથી. તેવામાં વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.