દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ હોય. તેના માટે તમારે ચૈત્ર નવરાત્રી સમાપ્ત થયા પહેલા પોતાના ઘરમાં ફેંગશુઈની અમુક વસ્તુઓ લાવવી જોઈએ. જે તમારા ભાગ્યને બદલવામાં ખૂબ જ મદદ કરી શકે છે.
ચૈત્રી નવરાત્રીમાં ઘરે લઈ આવો આ વસ્તુઓ
ફેંગશુઈ અનુસાર માનવામાં આવે છે શુભ
ઘરમાં બામ્બુ ટ્રી લાવવી છે ખૂબ જ શુભ
ચૈત્રી નવરાત્રી 22 માર્ચ 2023થી શરૂ થઈ ચુકી છે. જે 30 માર્ત 2023એ નવમીએ સમાપ્ત થશે. સનાતન ધર્મમાં નવરાત્રીનો પર્વ ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે. ફેંગશુઈના અનુસાર ઘણી ફેંગશુઈ સાથે જોડાયેલી વસ્તુઓ ઘરમાં લાવવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
તમે પણ ગુડલક મેળવવા ઈચ્છો છો તો નવરાત્રી સમાપ્ત થાય તે પહેલા ઘર કે ઓફિસમાં સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા આ વસ્તુઓને લાવીને તેનો લાભ ઉઠાવી શકો છો.
લાફિંગ બુદ્ધા
ફેંગશુઈના અનુસાર લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને ગુડલક તમારી તરફ આવતુ જાય છે. ચીની વાસ્તુ શાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધા એવી જગ્યા પર રાખવું શુભ હોય છે જ્યાં ઘરમાં ઘુસતા જ સૌથી પહેલા તમારી નજર તેના પર પડે.
ચાઈનીઝ કોઈન
ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ત્રણ ચીની કોઈનને ઘરમાં લાવવું ખૂબ જ શુભ હોય છે. આ સિક્કાને લાલ રંગના રિબિનમાં બાંધીને દરવાજાના હેન્ડલમાં લટકાવી દેવું ફાયદાકારક માનવામાં આવે છે. આ સિક્કાથી કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા નથી થતી.
એક્વેરિયમ
ચાઈનીસ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રી વખતે ફિશ એક્વેરિયમ ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મનુષ્યને પોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળે છે.
ફેંગશુઈ કાચબો
ચાઈનીસ વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈના અનુસાર ઘરમાં ફેંગશુઈ કાચબો હોવો સકારાત્મક ઉર્જા અને દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ઘર કે ઓફિસમાં ફેંગશુઈ કાચબો રાખો છો તો તેનાથી તમારા માન સન્માનમાં વધારો થાય છે અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
ફેંગશુઈ બામ્બૂ ટ્રી
ચાઈનીસ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં બામ્બૂ ટ્રી લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બામ્બૂ ટ્રીની મદદથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મર ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે. આ ટ્રીને તમે ઓફિસ કે ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખીને તેનો લાભ ઉઠાવી શકો છો.
વિંડ ચાઈમ
ચાઈનીસ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં વિંડ ચાઈમ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિંડ ચાઈમ્સની ઘંટડીઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે તો તેમાંથી નીકળતા અવાજના કારણે તે વાતાવરણને સકારાત્મક બનાવે છે. જેના કારણે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.