ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનઉ પ્રેસ કોન્ફરન્સમાં સરકારને મોટો પડકાર ફેંક્યો છે. ટિકેતે કહ્યું કે દિલ્હીની જેમ લખનઉને પણ ચારેબાજુએથી ઘેરી લઈશું.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતની મોટી જાહેરાત
દિલ્હીની જેમ લખનઉને પણ ચારેબાજુએથી ઘેરી લઈશું
5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરીને આંદોલન શરુ કરીશું
રાકેશ ટિકેતે કહ્યું કે યુપી હમેંશા આંદોલનનો પ્રદેશ રહ્યો છે. મગના ખેડૂતોએ 3 હજાર સસ્તો પાક વેચ્યો. બટાકાના ખેડૂતો બર્બાદ થયા છે. શેરડી પકવતા ખેડૂતોને 12 હજાર કરોડની ચુકવણી બાકી છે. યુપીમાં ખેડૂતોને સૌથી મોંઘા ભાવે વીજળી મળે છે.
મોટા આંદોલનની ચેતવણી
ટિકેતે કહ્યું કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરીને આંદોલનની શરુઆત કરીશું. સંયુક્ત મોરચાએ 8 મહિના આંદોલન કર્યા બાદ નિર્ણય લીધો છે કે યુપીની સાથે આખા દેશમાં આ આંદોલન વિસ્તારવામાં આવશે.
લખનઉને ચારે બાજુએથી ઘેરી લેવામાં આવશે
ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુના દિલ્હી જેવા હાલ થશે.
અમે ચૂંટણી લડવાના નથી
રાકેશ ટિકેતે કહ્યું કે અમે ચૂંટણી લડવાના નથી અને ખેડૂતો જે પાર્ટીથી ખુશ હશે તેમને વોટ દેશ આપશે. અમારી લડાઈ ભાજપ સાથે નથી,, મોદી સરકારની સાથે છે. તેથી તેઓ ભૂલી જાય કે ખેડૂતોના વોટ તેમને મળશે. ટિકે કહ્યું કે આ આંદોલન ફક્ત ખેડૂતો માટે નથી, પરંતુ ગરીબો, મજૂરો માટે પણ છે.
15 ઓગસ્ટ ટ્રેક્ટર રેલી કાઢીશું, ઝંડો ફરકાવીશું
રાકેશ ટિકેતે એવું પણ જણાવ્યું કે અમે 15 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી કાઢીશું તથા ઝંડો પણ ફરકાવીશું. જ્યાં સુધી સરકાર કૃષિ કાયદા પરત નહીં ખેંચે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં કરવામાં આવે તેવું પણ ટિકૈતે કહ્યું છે.