નિરાશ્રિત ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા નારાજગી દર્શાવી હતી. જે બાદ MLA રઘુ દેસાઈના હાથે 500 કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
અલ્પેશ ઠાકોરના ગઢ રાધનપુરમાં ભાજપને ફટકો
બાદલપુરાના 500 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
નિરાશ્રિત ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા નારાજગી
રાધનપુર ભાજપમાં કોંગ્રેસ આજે એક મોટું ગાબડું પાડવામાં સફળ રહ્યું હતું. રાધનપુર પંથકમાં ઠાકોર સમાજ એક મોટી વોટ બેંક ધરાવે છે. જોકે ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા કોંગ્રેસે તેનો ફાયદો ઉઠાવી નિરાશી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપતા રાધનપુરમાં ભાજપના વળતા પાણી થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
રાધનપુરના બાદલપુર ગામે ધારાસભ્ય રઘુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઇ ચૂંટણી સભામાં 500 જેટલા ભાજપના કાર્યકરો ભાજપને અલવિદા કરી દીધી છે. રઘુ દેસાઈના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. એક સમયના અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા ઠાકોર સમાજે આજે અલ્પેશ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડતા અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.
ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પદર્શન કરી રહી છે.