વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સક્રિય, 31 ઓક્ટોબરથી ગુજરાતના પાંચ ઝોનમાં શરૂ કરાશે પરિવર્તન સંકલ્પ યાત્રા
વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સક્રિય
કેન્દ્રીય મોવડીમંડળના ગુજરાતમાં ધામા નાંખશે
5 પરિવર્તન સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવશે
ગુજરાતમાં વિધાનસભાને લઈ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ શરી કરી દીધો છે. ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્રણેય રાજકીય પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવવામાં કમર કસી રહ્યાં છે. આ રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોગ્રેસની કેન્દ્રીય મોવડી મંડળની ટીમ ગુજારાતમાં ધામા નાખશે.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા
વિધાનસભાની ચૂંટણીની જીત માટે કોંગ્રેસનું કેન્દ્રીય મોવડીમંડળની ટીમ ગુજરાતમાં ધામા નાખશે. જેમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરથી ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરશે. આ પાંચય ઝોનમાં પરિવર્તન યાત્રાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રસ્થાન કરાવશે.
પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રા
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી સક્રિય થઈ છે. ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. ભૂપેશ બઘેલ ફાગવેલથી મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે તેમજ દિગ્વિજય સિંહ નખત્રાણાથી સૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ પ્રારંભ કરાવશે જ્યારે કમલનાથ સોમનાથથી સૌરાષ્ટ્રની બીજી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. મુકુલ વાસનિક જંબુસરથી દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતની 175 વિધાનસભા બેઠકમાં ફરશે.