ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવશે, 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીંયમંત્રીઓ ગુજરાત આવશે, ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે
ભાજપનું મિશન-2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી
5 મંત્રીઓ કરશે ગુજરાતનો પ્રવાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીંયમંત્રીઓ ગુજરાત આવશે. ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંત્રીઓને જિલ્લાવાઈઝ જવાબદારી અપાશે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 19 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે.
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.