પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચેની નજદીકિયા તેમની નવી પુસ્તક ધ પ્રેસિડેન્ટ ઈયર્સ (The Presidential Years)માં જોવા મળી છે. પ્રણબ મુખર્જીએ પોતાના પુસ્તકના માઘ્યમથી જ્યાં પ્રધાનમંત્રી પર અનેક મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કર્યો છે ત્યાં અનેક મુદ્દાઓ પર તેમના મન મુકીને વખાણ કર્યા છે. પ્રણબ મુખર્જીના સંસ્મરણોને વાંચ્યા બાદ લાગે છે કે નરેન્દ્ર મોદી અને પ્રણબ મુખર્જી ભલે અલગ અલગ વિચારધારાઓના હોય પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિના મનમાં પીએમ મોદી અને દેશ માટેના તેમના સમર્પણને લઈને બહું સન્માન છે.
પીએમ મોદી અને મુખર્જીના ઘણા સૌહાર્દપૂર્ણ સંબંધ હતા
મોદીની આ વાત સાંભળી મુખર્જી હેરાન થઈ ગયા હતા
...મોદીની આ વાત સાંભળી મુખર્જી તેમનાથી પ્રભાવિત થયા હતા
મોદીની આ વાત સાંભળી મુખર્જી હેરાન થઈ ગયા હતા
પોતાના સંસ્મરણોમાં પ્રણબ મુખર્જીએ જણાવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર તત્ત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને મળવા પહોંચ્યા તો એક અખબારના કટિંગને પોતાની સાથે લઈ ગયા હતા. જેમાં પ્રણબ મુખર્જીનું જૂનું ભાષણ હતુ જે રાજનીતિક રુપે સ્થિર જનાદેશના આશાને વ્યક્ત કરી રહ્યું હતુ. પ્રણબ મુખર્જીએ પોતાના સંસ્મરણોમાં જણાવ્યું કે પીએમ મોદીએ મુલાકાત દરમિયાન શપથ ગ્રહણ માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. મોદીની આ વાત સાંભળી તે હેરાન થઈ ગયા હતા. પછીથી મોદીએ તેમને કહ્યું કે તે ગુજરાતના પોતાના ઉત્તરાધિકારીના મુદ્દાને ઉકેલવા માંગે છે. એ માટે તેમને થોડો સમય જોઈએ છે.
...મોદીની આ વાત સાંભળી મુખર્જી તેમનાથી પ્રભાવિત થયા હતા
મુખર્જીની પુસ્તકથી એ જાણવા મળે છે કે વિદેશ નીતિ પર નરેન્દ્ર મોદીની પકડથી તેઓ ઘણા પ્રભાવિત હતા. પ્રધાનમંત્રી મોદી અનેક વાર વિદેશ નીતિ પર મુખર્જી પાસે પણ સલાહ લીધી હતી. ત્યાં સુધી કે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક નેતાઓને બોલાવવા અંગે તેમણે મુખર્જી સાથે વાત કરી હતી. પીએમ મોદીની આ વાત સાંભળી મુખર્જી તેમનાથી પ્રભાવિત થયા હતા. તેમણે આ અંગે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સાથે પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને આ મુદ્દે આઈબી પ્રમુખ સાથે પણ વાત કરવા કહ્યું હતુ. કેમ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની સુરક્ષાનો મુદ્દો તેની સાથે જોડાયેલો હતો.
પીએમ મોદી અને મુખર્જીના ઘણા સૌહાર્દપૂર્ણ સંબંધ હતા
રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમના કાર્યક્રમ દરમિયાન તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધો ઘણા સૌહાર્દપૂર્ણ હતા. તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ પણ પ્રધાનમંત્રી મોદી કોઈ મુદ્દા પર તેમની સલાહ લેતા હતા ત્યારે તેઓ સલાહ આપતા જરાય નહોતા અચકાતા. તેમણે લખ્યું છે કે એવા અનેક પ્રસંગો આવ્યા જેને લઈને હું ચિંતિત હતો અને પીએમ મોદીએ તે મુદ્દાને ઉઠાવ્યા હોય. મુખર્જીએ લખ્યું કે મને ભરોસો છે કે તે વિદેશનીતિને ઝીંણવટ પૂર્વક બહું જલ્દી સમજી લે છે.