રાજ્યસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે અને ગુજરાતની 3 પૈકી 2 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કર્યા છે ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઇ શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ
કોંગ્રેસના 4 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
કચ્છ અને સૌરાષ્ટ્રના 2-2 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ગુજરાત કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ છે. કોંગ્રેસના 4 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 2-2 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ ધારાસભ્યો તૂટવાના એંધાણ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ 4 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.
ગત રાજ્યસભા ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ પક્ષને કર્યું હતું અલવિદા
આપને જણાવી દઇએ કે, ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ પક્ષથી નારાજ થઇને ગત રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને પક્ષ વિરૂદ્ધ મતદાન કર્યું હતું.
કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યા કેસરિયા
કોંગ્રેસના પીઢ નેતા અને જ્યોતિરાદિત્ય સિઁધિયા છેલ્લા કેટલાક સમયથી નારાજ હોવાથી તેમણે ગઇકાલે 22 ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. આ ઘટનાને પગલે મધ્યપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. તો આજે તેઓ ભાજપમાં વિધિવત રીતે જોડાઇ ગયા હતા.